(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.1
બગસરાના નવા જીનપરા વિસ્તારમાં રહેતા સંજયભાઇ લાલજીભાઇ ડુંબાળીયા નામનાં 25 વર્ષિય યુવક ઘણા સમયથી લગ્ન કરવાનું કહેતો હોય અને લગ્ન માટે યોગ્ય પાત્ર મળતું ન હોય. જે બાબતે યુવકને લાગી આવતા તા. ર9 ના સાંજના 4 વાગ્યે પોતે પોતાના મકાનમાં આવેલ છતના હુકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ જતા તે મરણ ગયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
યુવતીનો આપઘાત
દામનગર ગામે આવેલ સીતારામનગર, પ્રેમગુરૂ આશ્રમવાળી શેરીમાં રહેતા રેખાબેન વિનુભાઇ ડોડીયાની દિકરી મરણ જનાર રૂચિતાબેન વિનુભાઇ ડોડીયા નામની 18વર્ષિય યુવતિ ગત તા. ર3/3 ના રોજ સવારના આશરે સાડા અગિયારેક વાગ્યા દરમ્યાન પોતાના ઘરે હતી.
ત્યારે રૂમમાં પંખા સાથે ચુંદડીનો એક છેડો બાંધી અને બીજો છેડો પોતાના ગળામાં બાંધી પોતે પોતાની મેળે કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ લેતા પ્રથમ દામનગર સરકારી દવાખાને બાદ વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ જયાં તેણીનું સારવાર દરમ્યાન તા. ર8/4 ના મોડી રાત્રીના સમયે મરણગયાનું પોલીસમાં જાહેર થવા પામેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy