(વિપુલ હિરાણી) ભાવનગર, તા.18
ભાવનગરમાં યુવાન ઉપર હુમલો કરી આરોપીઓએ ઘરમાં આગ લગાડી નુકસાન કર્યાનો બનાવ બનવા પામ્યો છે. આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ઘોઘા રોડ પર 14 નાળા વિસ્તારમાં ઉદયવિર હનુમાનજી પાછળ મફતનગરમા રહેતા અનિલ દિનેશ મોરી (ઉ.વ.22) એ ગતરોજ આરોપીના પુત્રને માર માર્યો હતો.
આ વાતની દાઝ રાખી ગતરાત્રીના અનિલ સરદારનગરમા આવેલ 50 વારીયા વિસ્તારમાં રામજીમંદિર પાસે બેઠો હોય એ દરમ્યાન મના ગોહેલ તથા ગોપાલ મના તેની પાસે આવી ગાળો આપી તું મોટો ડોન થઈ ગયો છે તેમ કહી પિતા-પુત્ર એ પાઈપ-ધોકા વડે હુમલો કરી મારમાર્યો હતો, દરમ્યાન ગંભીર રીતે ઘવાયેલ અનિલને તેના પિતા સહિતના સભ્યો સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.
એ દરમ્યાન આરોપી મના ગોહેલ, ગોપાલ મનાભાઈ ગોહેલ, રાજુ મનાભાઈ ગોહેલ તથા કાજલ રાજુભાઈ મનાભાઈ ગોહેલ અનિલના ઘરે હથિયાર સાથે આવ્યા હતા અને ઘરમાં તોડફોડ કરી ઘરવખરી રાચરલાને કાંડી ચાંપી દેતા અનાજ રોકડ ઈલેક્ટ્રોનિક સામાન સહિતની ચિઝવસ્તુઓ સળગીને ખાખ થઈ ગઈ હતી, આથી રૂપિયા 2 લાખની નુકસાની થઈ હતી, આ અંગે અનિલે મના ગોહેલ, ગોપાલ, રાજુ તથા કાજલ વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy