જામનગર તા.19: જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના રીંજપર ગામમાં રહેતી એક અપરણીત યુવતી ને પોતાના ઘેર કોઈ ઝેરી જાનવર કરડી જતાં ઝેરી અસર થયા પછી મૃત્યુ નિપજ્યું છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર નજીક રીંજપર ગામમાં રહેતી રશ્મિલાબેન અરજણભાઈ બેલા નામની 18 વર્ષીય અપરણિત યુવતી, કે જેને ગઈકાલે પોતાના રહેણાંક મકાનના ફળિયામાં કોઈ ઝેરી જાનવર કરડી ગયું હોવાથી વિપરીત અસર થઈ હતી, અને તેણીનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા અરજણભાઈ પુનાભાઈ બેલા એ પોલીસને જાણ કરતાં લાલપુર ના એ.એસ.આઈ. ડી.સી. ગોહિલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy