(જીજ્ઞેશ ભટ્ટ દ્વારા) મોરબી તા.23
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના મકાનમાં રહેતા સંજયભાઈ રમેશભાઈ કુંઢીયા જાતે દેવીપુજક (32) નામના યુવાનનો મૃતદેહ લીલાપર ચાર માળીયા પાછળ ખડિયાના નાકેથી મળી આવ્યો હતો જેથી કરીને તે અંગેની જાણ તેના ભાઈ પીન્ટુભાઇ રમેશભાઈ કુંઢીયા (24) રહે. લીલાપર રોડ સરકારી આવાસ યોજનાના મકાનમાં મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરી હતી અને મૃતક યુવાનના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ ફોરેન્સિક પીએમ માટે યુવાનના મૃતદેહને રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં યુવાનનું કોઈ બીમારી સબબ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ આઈકોન સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા મોનુભાઈ નાથુભાઈ માહાલી (40) અને સામુભાઈ મંગળભાઈ સોરેન (30) ને શ્રીનાથજી કાંટા જૂના ઘૂટું રોડ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આગળની વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy