નવી દિલ્હી : અકાસા એરએ હવે પેસેન્જરોને ડોમેસ્ટિક ફ્લાઈટ્સની કેબિનમાં 10 કિલો સુધીના પાલતુ પ્રાણીઓને લઈ જવાની મંજૂરી આપી છે. એરલાઈને બુધવારે ફ્લાઇટમાં લઈ જઈ શકાય તેવા પાલતુ પ્રાણીઓના વજનમાં વધારો કરવાની જાહેરાત કરી હતી.
ગ્રાહકોના ફીડબેકને ધ્યાનમાં રાખીને તેણે આ પગલું ભર્યું છે. અકાસા એરએ નવેમ્બર 2022માં પેસેન્જરોને ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર તેમના વજનના આધારે કેબિન અથવા કાર્ગોમાં બિલાડી અને કૂતરા સાથે મુસાફરી કરવાની મંજૂરી આપી હતી.
અગાઉ, કેબિનની અંદર પાલતુ પ્રાણીઓ માટે વજનની મર્યાદા સાત કિલોગ્રામ રાખવામાં આવી હતી, જે હવે વધારીને 10 કિલોગ્રામ કરવામાં આવી છે. એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કાર્ગોમાં 32 કિલો વજનના પાલતુ પ્રાણીઓને મંજૂરી છે.
નવેમ્બર 2022 માં સેવા શરૂ થઈ ત્યારથી 3,200 થી વધુ પાળતુ પ્રાણીઓએ એરલાઇનની ફ્લાઇટ્સ પર મુસાફરી કરી છે. ભારતીય એરલાઇન્સમાં, અકાસા એર સિવાય, ફક્ત એર ઇન્ડિયા જ કેબિનમાં પાળતુ પ્રાણીઓને મંજૂરી આપે છે જ્યારે સ્પાઇસજેટ પાલતુ પ્રાણીઓને કાર્ગોમાં જવાની મંજૂરી આપે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy