(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 27
વઢવાણ ધોળીપોળ વિસ્તારના માર્ગો પર બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માતો બનતા હતા. ત્યારે આ માર્ગ ઉપર 3 જેટલા બમ્પ મુકાતા રાહત થઇ હતી. પરંતુ હજુ પણ ધોળીપોળ પુલના બંને છેડે તેમજ સ્વામીનારાયણ મંદિર પંજાબ બેંકની સામે બમ્પ મૂકવામાં આવે તો અકસ્માત થતા અટકે તેવી લોકોમાં માંગ ઉઠી હતી. સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વિસ્તારના માર્ગો પર બમ્પના અભાવે અવારનાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે.
થોડા દિવસો પહેલા જ વઢવાણ ધોળીપોળ શૌચાલય આગળ ડમ્પરે બાઇકને અડફેટે લેતા મહિલાનું મોત થયુ હતુ. જ્યારે મહિનાઓ અગાઉ ધોળીપોળના માર્ગ પર એક વૃદ્ધનું વાહનની અડફેટે મોત થતા લોકોમાં રોષ ફેલાયો હતો. ધોળીપોળના માર્ગ પર નવા-જુના પુલ પરથી, લીંબડી તરફથી સુરેન્દ્રનગર, રતનપર,જોરાવરનગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી વાહનો પસાર થઇ રહ્યા છે.
બીજી તરફ ધોળીપોળ નજીક જ શહેરનું બસ સ્ટેશન આવેલુ હોવાથી એસટી બસો પણ મોટી સંખ્યામાં અવરજવર કરે છે. છેલ્લા ઘણા સમયથી ધોળીપોળ વિસ્તારના માર્ગો પર અકસ્માતના બનાવો બની રહ્યા છે. આથી આ માર્ગો પર બમ્પ મૂકાય તેવી લોકમાંગ ઉઠી હતી.
પરિણામે આ ગંભીરતા લઇને તંત્ર દ્વારા ધોળીપોળના મુખ્ય માર્ગ પર, ધોળીપોળ દરવાજા આગળ તરફના માર્ગ પર તેમજ બગીચાની આગળ એમ કુલ 3 બમ્પ મૂકવામાં આવતા રાહદારીઓ તેમજ વાહનચાલકોમાં રાહત થઇ હતી.
બીજી તરફ વઢવાણના ધોળીપોળના નવા તેમજ જૂના પુલ ઉપરથી મોટી સંખ્યામાં વાહનો પસાર થઇને આવી રહ્યા છે. આથી આ બંને પુલના છેડાઓ નજીક અને પંજાબ બેંકની સામે જો બમ્પ મૂકવામાં આવે તો અકસ્માત થતા અટકે તેવી માંગ ઉઠી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy