રાજકોટ, તા.6
જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોધાયેલ આઈ.પી.સી. કલમ 465, 467, 468, 406, 420 અને 114ના ગુનામાં આરોપી પલકકુમાર કીરીટભાઈ રૂપારેલને સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ હતો.
આ કેસની ટુંકમાં વિગત એવી છે કે, ફરીયાદી હીરેનભાઈ વિજયભાઈ કોટેચાએ ફરીયાદ કરી હતી કે, આરોપીઓએ અલગ અલગ સમયે ખેત ઉત્પાદનની જણસોની વેચાણ અને ખરીદીના સોદા કરેલ. દરમિયાન ફરીયાદીને આજ દીન સુધીમાં આરોપીઓ પાસેથી રૂ.11,18, 28, 463 લેવાના નીકળતા હતા. અવાર નવાર ઉઘરાણી કરતા એક આરોપીએ રૂ.5,28,26,071 આર.ટી.જી.એસ. થી જમા કરાવેલ હોય તેવી 3 પહોંચો અને ખોટુ બેંક સ્ટેટમેન્ટ વોટ્સએપથી મોકલ્યું હતું.બજે બાદ પોલીસે આરોપી વિરુધ્ધ ગુન્હો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરેલી. આરોપી પૈકી જેલ હવાલે રહેલા પલકકુમાર રૂપારેલે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરતા, આરોપીના વકીલે કરેલી દલીલો અને રજૂ રાખેલા ચુકાદા ધ્યાને લઇ જામનગર એડીશ્નલ સેશન્સ જજ એમ. આર. ચૌધરીએ આરોપી પલકકુમારને શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કેસમાં આરોપી તરફે રાજકોટના એડવોકેટ જીતેન્દ્રસિંહ વી. પરમાર, વિજયભાઈ જોષી, રાજેન્દ્રસિંહ પરમાર, ચિરાગભાઈ મેતા, ઈકબાલભાઈ થયૈમ તથા એસ.એમ.ડાભી રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy