(કૃષ્ણકાંત ચોટાઇ) ઉપલેટા, તા. 17 ઉપલેટામાં ચેક રીટર્ન કેસમાં ઉપલેટા કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ જાહેર કરીને છોડી મુકવાનો હુકમ કર્યો છે. આ કેસની વિગતો આપતા આરોપી તરફે રોકાયેલ એડવોકેટ પિન્ટુ જી. મેઘાણીએ જણાવ્યું છે કે, ઉપલેટાના સિધ્ધી વિનાયક પ્રોજેકટના પ્રોપ્રરાઈટર જેન્તીભાઈ પીઠાભાઈ મકવાણા દ્વારા રૂપિયા 5 લાખ 80 હજાર પુરાના ચેક રીટર્ન અંગેનો કેસ ઉપલેટાની અદાલતમાં દાખલ કરાયો હતો. જેના ફોજદારી કેસ નં.1815/2022 થી ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ-1881 ની કલમ-138 મુજબ રૂપિયા 05 લાખ 80 હજાર પુરાનો ચેક રીટર્નની ફરિયાદ કરાયેલ હતી. આ કેસ ઉપલેટાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ જયુડી. મેજી. (ફ.ક.) જજ એ. એ. દવેની કોર્ટમાં ચાલી જતા અદાલત દ્વારા આરોપીને નિર્દોષ છોડી મુકતો હુકમ કર્યો છે. આ કેસની કાર્યવાહીમાં શ્રી રંગ અમી કાર્ટીગના પ્રોપ્રરાઈટર પ્રતિકભાઈ અશોકભાઈ માછી આરોપી તરફેના એડવોકેટ દ્વારા રજૂ રાખવામાં આવેલ નામદાર હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જુદા-જુદા ચુકાદાઓ ધ્યાને લઈ તેમજ ગ્રાહ્ય રાખીને ઉપલેટાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ જયુડી. મેજી. (ફ.ક.) જજ એ.એ. દવે દ્વારા શ્રી રંગ અમી કાર્ટીગના પ્રોપ્રરાઈટર પ્રતિકભાઈ અશોકભાઈ માછીને નેગો. ઈન્સ્ટ્રુ. એકટ કલમ-138 માં નિર્દોષ જાહેર કરી છોડી મુકતો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપી શ્રી રંગ અમી કાર્ટીગના પ્રોપ્રરાઈટર પ્રતિકભાઈ અશોકભાઈ માછી તરફે ઉપલેટાના એડવોકેટ બાબુલ જુણેજા, એડવોકેટ પિન્ટુ જી. મેઘાણી, એડવોકેટ નિમિત પાનસરા તેમજ યુવા એડવોકેટ નિરવ શુકલ રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy