રાજકોટ, તા.16
શહેરના લક્ષ્મીનગર અંડરબ્રિજ પાસે બે સગીરાઓની છેડતી કરી અડપલા કર્યાના ગુનામાં આરોપી જગદીશ પરમારને જામીન મુક્ત કરવા કોર્ટે હુકમ કર્યો છે.
તા.5-2-2024ના રોજ લક્ષ્મીનગરના બીપીન રાવત અંડરબ્રીજ પાસે 14 વર્ષની બે સગીરા પોતાની શાળાએથી ટ્યુશન ક્લાસ માટે સાયકલ લઇ જતી હતી ત્યારે બંને આરોપીને રોકી એક કિશોરીનો હાથ પકડી લઇ પાછળથી બથ ભરી લઇ, અડપલા કરી જમણા ગાલ પર હાથ વડે બાખુડીયો ભરી લઇ નખ લગાડી દઇ ઇજા કરી બંને કિશોરીઓની છેડતી કરી ગુનો આચરેલ હતો. ફરિયાદીએ એ-ડીવીઝન પોલીસ સ્ટેશને આરોપી જગદીશ કિરણભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બાદમાં પોલીસ દ્વારા ગુનો નોંધી આઇપીસી કલમ-354(એ), 341, 323 તથા પોક્સો એક્ટ કલમ-8 મુજબ ગુનો નોંધાયો હતો. પુરતા પુરાવા મળતા તપાસ અધિકારીએ કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યું હતું. બંને પક્ષના વકીલોની દલીલ સાંભળી, બચાવ પક્ષના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી અધિક સેશન્સ જજ બી.બી. જાદવે આરોપીની રેગ્યુલર જામી અરજી મંજુર કરી હતી. આ કેસમાં આરોપી વતી એડવોકેટ કરણ કુંડલીયા રોકાયા હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy