જામનગર તા.25
જામનગરના પટેલ કોલોની શેરી નં.9ના છેડે આવેલ ગીતા નિવાસ નામની મિલકત રિટાયર્ડ ડીવાયએસપી ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાને પોતાના માતા પાસેથી વિલથી પ્રાપ્ત થયેલ. આ મિલકતમાં તખુભા ખુમાનસિંહ ભાડૂઆત હોય જે મિલકત પચાવી પાડવા અંગેના કાયદા મુજબ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજાએ જામનગર સિટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ હતી.
જે કામે તપાસ પોલીસ દ્વારા મેઘરાજસિંહ તખુભા જાડેજાની અટકાયત કરેલ હતી. જેથી મેઘરાજસિંહ તખુભા જાડેજાએ જમીન પચાવી પાડવા અંગેના કાયદાની ખાસ અદાલત સમક્ષ જામીન મુક્ત કવા વકીલ મારફત અરજી કરેલ જે અરજીના કામે આરોપી મેઘરાજસિંહ તખુભા જાડેજાના વકીલની ધારદાર રજૂઆત તથા ઉચ્ચ અદાલત તથા વડી અદાલતોના ચુકાદાઓ તેમજ હાલના અરજદાર પાસેથી મેઘરાજસિંહ તખુભા જાડેજાના પિતા જ વાદવાળી મિલકતમાં વર્ષોથી ભાડૂઆત હોય તેમજ તે બાબતે ફરિયાદી સાથે દિવાની અદાલતમાં કેસ પણ ચાલતો હોય. જેથી તમામ રજૂઆતો ગ્રાહ્ય રાખી આરોપી મેઘરાજસિંહ તખુભા જાડેજાને જામીન મુક્ત કરવા હુકમ ફરમાવેલ છે. આ કામમાં આરોપી મેઘરાજસિંહ તખુભા જાડેજા તરફે વકીલ નિર્મળસિંહ પી.સરવૈયા, હેમલસિંહ બી.પરમાર, સુમિત કે.વડનગરા રોકાયેલ હતાં.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy