જામનગર તા.8
જામનગરના અતી ચકચાર એવા મારામારીના હુમલા પ્રકરણમાં તમામ આરોપીઓને જામનગર જિલ્લા અદાલતે નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો છે.
આ કેશની હકિકત એવી છે કે, ગઈ તા.07/07/15 નાં રોજ આ કામના ફરીયાદી ભરતસીંહ ભાવસીંહ શઠોડે પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ આપેલ કે, આ કામના આરોપી જેન્તીભાઈ નરસીભાઈ ભરડવા,મનસુખ ઉર્ફે મુન્નો નરશીભાઈ ભરડવા સંજયભાઈ નરસીભાઈ ભરડવા.સંજય મોહનભાઈ ચાવડા.સંગીતાબેન નરશીભાઈ ભારતીબેન .જેન્તીભાઈ નરશીભાઈ ભરડવા વિગેરેના ઓ તમામ એકસંપ થઈ ગેરકાયદેસર રીતે મંડળી રચી તિક્ષણ હથીયારો ધારણ કરી ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદીને અમારા ઘરની સામે શું કામ જોવો છો એમ જણાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ભુંડી ગાળો આપી ફરીયાદીના બનેવી કાળુભા વિભાજીને માથામાં લોખંડનો પાઈપ મારી આરોપી નં.ર અને 3 નાઓ એ લાકડાના ધોકાથી માર મારી આડેધડ માર મારતા હોય જેથી ફરીયાદી પોતાના બનેવીને બચાવવા જતા આ કામના આરોપી નં.4,5, અને 6 વાળાએ તેઓના મકાન ના રવેશ ઉપરથી ફરીયાદી તથા તેમના બનેવી સાહેદ ઉપર મરચાની ભુકી આંખ તથા મોઢા પર છાંટી અને આરોપી નં.3 વાળાએ ધોકા વડે ફરીયાદીના જમણા પગમાં ગોઢણથી નીચેના ભાગે ધા મારી ફેકચર કરેલ હોય તેમજ ડાબા હાથમાં કાંડામાં ફેકચર કરી માર મારેલ હોય જે અંગેની ફરીયાદ જામનગર પોલીસમાં ફરીયાદીએ તમામ આરોપીઓ વિરૂધ્ધ આપેલી હતી.
જે અંગેની ફરીયાદ ફરીયાદી ભરતસીંહ ભાવસીંહ રાઠોડે એ પોલીમાં નોંધાવતા પોલીસે આઈ.પી.સી.કલમ-307,504, 506(2), 325 વિગેરે મુજબ ગુન્હો નોંધી ઉપરોક્ત તમામ આરોપીઓ નં.1 થી 6ની અટક કરેલી અને કોર્ટમાં ચાર્જશીટ કરેલ હતી.
જે કેશ જમનગરના પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ અને સેશન્સ જજ એસ.કે.બક્ષીની કોર્ટમાં ચાલી જતા આરોપીઓના વકીલની ધારદાર દલીલો અને રજુઆતોને તથા ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને તથા કાયદાના પ્રસ્થાપિત સિધ્ધાંતોને ધ્યાને લઈ અને આરોપીના વકીલની દલીલોને ગ્રાહય રાખી આરોપીઓનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે. આ કામે આરોપીઓ તરફે વકીલ નિર્મળસિંહ પી. સરવૈયા, હેમલસિંહ બી.પરમાર, બ્રિજેશ એ.ત્રિવેદી, સુમીત કે. વડનગરા તથા ભાવસિંહ જાડેજા, વિવેક વસીયર તથા દિવ્ય ધામેચા રોકાયેલ હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy