પત્ની પર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય-ત્રાસ જઘન્ય કૃત્ય; પતિને જામીન આપી ન શકાય: હાઈકોર્ટ

Gujarat, Crime | Ahmedabad | 09 May, 2024 | 11:50 AM
પ્રિ-એરેસ્ટ જામીન રદ કરાયા બાદ સંજોગો બદલાયા વિના બીજી જામીન અરજી પણ ન થઈ શકે : વડી અદાલતની ટીપ્પણી
સાંજ સમાચાર

અમદાવાદ,તા.9
પત્નીને ત્રાસ આપી તેને તરછોડી મૂકવા ઉપરાંત પતિ તેની સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરે એ અત્યંત જધન્ય ગુનો ગણાય અને પતિને આવા ગુનામાં આગોતરા જામીન મળી શકે નહીં, એવું મહત્વપૂર્ણ અવલોકન હાઈકોર્ટે કર્યો છે. વટવા પોલીસ સ્ટેશનમાં પતિ વિરૂધ્ધ પતનનીએ કરેલી ફરીયાદમાં થયેલી આગોતરા જામીન અરજી હાઈકોર્ટે ફગાવી કાઢી હતી.

જસ્ટીસ જે.સી. દોશીએ જામીન નહીં આપવાનું ઠરાવતાં અવલોકન કર્યુ હતું કે, ‘પ્રસ્તુત કેસમાં પત્ની વિરૂધ્ધ પતિના જધન્ય અપરાધને ધ્યાને લેતા હાઈકોર્ટે તેના વિશિષ્ટ અધિકારોનો ઉપયોગ કરી તેને કોઈ પણ પ્રકારની રાહત આપી શકે નહીં. તેની જામીન અરજી રદ કરવામાં આવે છે’.

પતિએ ધરપકડથી બચવા કરેલી જામીન અરજી અગાઉ કોર્ટે ફગાવી દેતાં, તેણે ફરીવાર આગોતરા જામીન મેળવવા સકસેસિવ અરજી કરી હતી. હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ‘જો એક વાર આરોપીની પ્રિ-એરેસ્ટ જામીન રદ કરી દેવામાં આવે ત્યાર બાદ જો અગાઉના સંજોગોમાં કોઈ ફેરફાર ન થયા હોય એ સિવાય આરોપી સકસેસિવ જામીન અરજી કરી શકે નહીં.

પ્રસ્તુત કેસમાં આરોપીના એડવોકેટ દ્વારા કયાંય પણ એ પ્રસ્થાપિત કરાયું નથી, કે અગાઉની જામીન અરજીમાં હાલની જામીન અરજી દરમિયાન સંજોગોમાં શું ફેરફાર થયા છે. એટલું જ નહીં આ ફેરફાર એવા હોવા જોઈએ કે અગાઉ રદ થયેલી જામીન અરજીમાં હસ્તક્ષેપ કરવાની જરૂર ઉભી થાય. અથવા તો અગાઉનો જે મત હોય એ અર્થહીન થઈ ગયો હોય.

સંજોગોમાં એવા ફેરફાર થયા હોવા જોઈએ કે એ અગાઉના નિર્ણય પર સીધી અસર કરતા હોય. અગાઉ જેવા જ આધાર અને કારણો દર્શાવી સકસેસિવ જામીન અરજી કરી શકાય નહીં. આ સિવાય જો પ્રસ્તુત કેસમાં દાખલ થયેલી એફઆઈઆરને ધ્યાનમાં લઈને તો પત્નીએ પતિ વિરૂધ્ધ આ એફઆઈઆર કરી છે. જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે પતિ માનસિક અને શારીરિક ત્રાસ આપે છે.

એટલું જ નહીં તેણે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કર્યુ છે. મહિલા વિરૂધ્ધ આવા ગંભીર અને જધન્ય અપરાધ કરનારા આરોપીને કોઈ રાહત આપી શકાય નહીં’. આ કેસમાં પત્ની તરફથી વટવા પો.સ્ટે.માં એવી ફરિયાદ કરવામાં આવી હતી કે તેનો પતિ તેના પર ખોટો વહેમ રાખીને તેને બિભત્સ ગંદી ગાળો બોલી, મારઝુડ કરે છે. એટલું જ નહીં, અવારનવાર તેની મરજી વિરૂધ્ધ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય પણ કરે છે. ઘરમાંથી કાઢી મુકવાનું કહી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj