જામ્યુકો દ્વારા એડવાન્સ ટેકસ રિબેટ યોજનાનો પ્રારંભ: કરદાતાઓને મળશે લાભ

Local | Jamnagar | 15 April, 2024 | 03:07 PM
સાંજ સમાચાર

જામનગર તા.15

  જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાકીય વર્ષના મિલ્કતવેરા, પાણીના ચાર્જીસનું એડવાન્સ ચુકવણું કરવા માંગતા શહેરીજનો માટે તા.16 એપ્રિલથી 31 મે સુધી વેરા ચુકવણી ઉપર કેટેગરી પ્રમાણે 10 થી 25 ટકા રીબેટ (ડિસ્કાઉન્ટ) આપવાની યોજનાની તેમજ 2006 પહેલાના તંત્રના બાકી લેણા ઉપર 100 ટકા વ્યાજ માફી અને 2006ના લેણા ચુકવનારને વર્ષ 2025ના માર્ચ માસના અંત સુધી 50 ટકા વ્યાજ માફીની તંત્રએ જાહેરાત કરી છે.

તા.14ના રવિવારે મ્યુ. કોર્પોરેશનએ જામનગર શહેરના 3.06 લાખ મિલ્કતધારકો માટે મહાનગરપાલિકાએ એડવાન્સ વેરા ભરનારને 10 થી 25 ટકા રીબેટ (ડિસ્કાઉન્ટ/રાહત) આપતી તા.16 એપ્રિલથી 31 મે સુધી સુધી ચાલનારી યોજનાની જાહેરાત કરી છે. આ યોજનામાં નાણાકીય વર્ષ 2024-25ના સામાન્ય કર, સફાઈ કર જેમાં સમાવિષ્ટ ર્ષ છે.

તેવા મિલ્કત વેરા ઉપરાંત પાણી - ચાર્જીસ, સોલીડવેસ્ટ કલેક્શન ચાર્જ, સ્વી ફાયર ચાર્જ, વાતાવરણ સુધારણા ચાર્જ અને શહેરમાં હરિયાળી કરવાનો ચાર્જ - તથા સ્ટ્રીટલાઈટનો ઉપયોગ કરવાના ચાર્જિસ એડવાન્સ ભરનારા સામાન્ય કરદાતાઓને 10 ટકા ડિસ્કાઉન્ટ, તા.31/3/24 સુધીમાં સિનિયર સિટીઝનની ઉંમર ધરાવતા લોકોને, દિવ્યાંગોને, બીપીએલ કાર્ડ ધારક વિધવાઓને 15 ટકા રીબેટ, ક્ધયા છાત્રાલયોને, માજી સૈનિકોને, શહિદો અને સ્વતંત્ર સેનાનીઓના વિધવાઓને, અનાથાશ્રમ, અંધાશ્રમ, અંપગાશ્રયને 25-25 ટકા રીબેટ આપતી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને વધુ બે ટકા, ઓનલાઈન ટેક્સ ભરનારને બે ટકા, ઘર સહિતની કોમર્શિયલ મિલ્કતો ઉપર સોલાર રૂફ ટોપ કરાવનારાને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એક વખત પાંચ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.

મહાનગરપાલિકા દ્રારા ગત તા.1 ફેબ્રુઆરીથી જીઆઈડીસીના ઉદ્યોગકારો માટે અને તા.15 ફેબ્રુઆરીથી તા.31 માર્ચ સુધી શહેરના 25-25 ટકા રીબેટ આપતી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનામાં સતત ત્રણ વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને વધુ બે ટકા, ઓનલાઈન ટેક્સ ભરનારને બે ટકા, ઘર સહિતની કોમર્શિયલ મિલ્કતો ઉપર સોલાર રૂફ ટોપ કરાવનારાને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એક વખત પાંચ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.

મ્યુ. કોર્પોરેશન દ્વારા ગત તા.1 ફેબ્રુઆરીથી જીઆઈડીસીના ઉદ્યોગકારો માટે અને તા.15 ફેબ્રુઆરીથી તા.31 માર્ચ સુધી શહેરના તમામ વિસ્તારોના નાગરિકો માટે પાછલા બાકી મિલ્કતવેરા અને પાણીના ચાર્જીસના નાણા ભરવા ઉપર 100 ટકા વ્યાજ માફીની યોજના જાહેર કરવામાં આવી હતી. જે અંતર્ગત શહેરના 1.56 લાખ મિલ્કતધારકોએ તંત્રને ચાલુ વર્ષના એડવાન્સ વેરા પેટે  વરાના નાણા ભરી શકાશ. રૂ.53.04 કરોડ અને પાછલા બાકી વેરા પેટે રૂ. 70 કરોડ મળીને કુલ રૂ.123.04 કરોડ ભરપાઈ કર્યા હતા. તંત્રની પાછલા બાકી લેણા પર 100 ટકા વ્યાજ માફી યોજનામાં 22,506થી વધુ આસામીઓએ રૂ.15 કરોડથી વધુની વ્યાજ માફી મેળવી હતી.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj