એડવાન્સ વેરાની આવક 103 કરોડને વટાવી ગઇ : 69 કરોડ ઓનલાઇન જમા : પ્રમાણિકોને 11 કરોડનું વળતર

Local | Rajkot | 08 May, 2024 | 05:01 PM
ગત વર્ષ કરતા કરદાતાની સંખ્યામાં 9 હજારનો વધારો : વેબસાઇટ પર પણ વેરાની આવક 10 કરોડ વધી
સાંજ સમાચાર

રાજકોટ, તા. 8

રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની એડવાન્સ વેરા વળતર યોજનાનો પ્રમાણિક મતદારો રીબેટ મેળવવા સાથે ઉત્સાહથી લાભ લઇ રહ્યા છે ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટેકસની આવક 14 કરોડ જેટલી આગળ ચાલી રહી છે. ઓનલાઇન વેરાની આવકમાં પણ 10 કરોડ જેટલો વધારો નોંધાયો છે. 

ટેકસ બ્રાંચના સુત્રોએ આપેલી વિગતો મુજબ ગત તા. 1-4-23થી તા.7-5-23ના દિવસોમાં મનપાને ટેકસની  89.90 કરોડ જેવી આવક થઇ હતી. આ સમયગાળા દરમ્યાન 155610 મતદારોએ એડવાન્સ વેરો ભર્યો હતો અને  9.36 કરોડનું વળતર મેળવ્યું હતું. આ વર્ષમાં આ સમયગાળા દરમ્યાન 9.3 કરોડની રકમ ચેકથી જમા થઇ હતી અને 22.51 કરોડ રોકડથી જમા થયા હતા. તો પ8.08 કરોડની આવક વેબસાઇટ પરથી થઇ હતી. 

ચાલુ 2024 વર્ષના આ પ્રથમ સવા મહિનાની વાત કરીએ તો આજ સુધીમાં 164449 કરદાતાએ 103.37 કરોડનો વેરો ભરીને 11.21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. તેમાં 68.76 કરોડ જેટલી આવક તો ઓનલાઇન આવી છે. એટલે કે આટલી રકમ ભરનારા કરદાતાએ સિવિક સેન્ટર કે વોર્ડ ઓફિસની પણ મુલાકાત લેવી પડી નથી. ઓનલાઇન વેરો ભરનારા કરદાતાની સંખ્યા દર વર્ષે વધતી જાય છે. 
આ વર્ષમાં ચેકથી 12.82 કરોડની આવક થઇ છે અને 21.77 કરોડની રકમ રોકડથી જમા થઇ છે. ગત વર્ષ કરતા આ વર્ષે 9 હજાર કરદાતા વધ્યા છે અને આવકમાં 14 કરોડનો વધારો થયો છે. હજુ ચાલુ મે મહિનાના અંત સુધીમાં   પુરૂષ મિલ્કત ધારકને 10 ટકા અને મહિલા મિલ્કતધારકને 1પ ટકા વળતર ચાલુ રહેશે તે ઉલ્લેખનીય છે. 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj