રાજકોટ, તા. 6
ગુજરાતમાં લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય સમાજ અંગે રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ વિધાનોના કારણે રાજયભરમાં ક્ષત્રિય સમાજે ભાજપ સામે મોરચો માંડયો છે અને તેમાં કેટલુ ડેમેજ કંટ્રોલ થયું છે તે અંગે ખુદ ભાજપ જ ચિંતમાં છે તે વચ્ચે ગુજરાત સરકારના નાણામંત્રી અને પક્ષના સિનીયર નેતા કનુભાઇ દેસાઇએ એક ચૂંટણી સભામાં કોળી સમાજ અંગે કરેલા વિધાનો વાયરલ થતા જ રાજયમાં અનેક સ્થળોએ કોળી સમાજ દ્વારા આંદોલન અને વિરોધ શરૂ કરાતા રૂપાલા પ્રકરણમાંથી બોધપાઠ લઇને નાણામંત્રી કનુભાઇ દેસાઇએ માફી માંગી લીધી છે.
ભાજપે ક્ષત્રિય સમાજને ક્ષમા વિરસ્ય ભૂષણમ કહીને મોટુ મન રાખવા અપીલ કરી હતી. પરંતુ ક્ષત્રિય સમાજ મુખ્યત્વે રૂપાલા કે ભાજપને માફ કરવાના મુડમાં નથી. તે સમયે ભાજપની મોટી વોટબેંક ગણાતા કોળી સમાજ વિરૂધ્ધની આ ટીપ્પણી વધુ વિવાદ સર્જે તે પૂર્વે કનુભાઇ દેસાઇએ માફી માંગી લીધી હતી.
કોળી સમાજમાં તેના પડઘા ધીમા પડયા હતા અને કેટલાક પોકેટ પર કનુભાઇ દેસાઇ વિરૂધ્ધ દેખાવ થયા હતા તે વચ્ચે સ્પષ્ટતા સાથે મારા નિવેદનોનો વિડીયો અધુરો દર્શાવ્યો છે જો પુરો દર્શાવ્યો હોત તો સમાજની લાગણી દુભાય ન હોત, જોકે તેમણે શું અધુરૂ દર્શાવાયું છે તે અંગે કોઇ ફોડ પાડયો ન હતો અને માફી માંગી લીધી હતી.
એ પણ દાવો કર્યો કે તેઓ કોળી સમાજ સાથે સંકળાયેલા છે અને આ સમાજની અનેક પ્રવૃતિમાં સહકાર પણ આપ્યો હતો. મતદાનના 48 કલાક પહેલા જ ભાજપના સિનીયર નેતા અને શાણા ગણાતા કનુભાઇ દેસાઇના આ વિધાનોથી વિવાદ વધે તે પૂર્વે ભાજપે તે રીતે ડેમેજ કંટ્રોલ કરી લેતા અનેક બેઠકના ઉમેદવારોને પણ હાશકારો થયો હતો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy