ગોંડલ,તા.1
ગોંડલ તાલુકાના શિવરાજગઢ ગામે રહેતા જયાબેન ખીમજીભાઈ વઘાસિયા નું નિધન થતા તેઓની અંતિમવિધિ માટે સગા સ્નેહી અને સંબંધીઓ ગ્રામજનો એકત્રિત થઈ રહ્યા હતા તે દરમિયાન જ જયાબેનના પતિ ખીમજીભાઇએ પણ અનંતની વાટ પકડી લેતા વૃદ્ધ દંપતિની એક સાથે સ્મશાન યાત્રા નીકળતા નાના એવા શિવરાજગઢ ગામમાં ગમગીની પ્રસરી જવા પામી હતી
વૃદ્ધ દંપતી ને સંતાનમાં બે પુત્ર જયંતીભાઈ, જસમતભાઈ અને એક પુત્રી ભાનુબેન બાંદ્રા ગામે સાસરે છે ખેડૂત પરિવારના વટવૃક્ષ સમાન વૃદ્ધ દંપતિ સહિયારા અનંત વાટે નીકળી જતા પૌત્ર પૌત્રીઓ સહિતનો પરિવાર ગમગીન બન્યો હતો આ તકે તેમની સાથે સમય વિતાવનાર લોકો કહેવા લાગ્યા હતા કે વૃદ્ધ દંપતિ સ્વભાવે મળતાવડા હતા અને પરદુ:ખમાં ભાગ લેનારા હતા તેઓના નિધનથી પરિવાર ગ્રામજનો પણ દુ:ખી બન્યા હતા દંપતિએ જીવનભર સાથે રહી ખેત કામ કરી ઘર ગુજરાન ચલાવી પરિવારને બહોળો બનાવ્યો હતો
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy