ગુજરાતી મચ્છુકઠીયા જ્ઞાતિના પ્રમુખ સેક્રેટરી સામે રૂ .5 કરોડનો માનહાની દાવો

Crime | Rajkot | 24 April, 2024 | 05:04 PM
મુખ્યદાતા વિમલભાઈ ચાવડાને નીચા દેખાડવા તેમના વિરૂદ્ધની પત્રિકા જ્ઞાતિના અન્ય લોકોને પોસ્ટથી મોકલાઈ હતી
સાંજ સમાચાર

રાજકોટ,તા.24
સમાજના આગેવાને ધર્માધિકારીની ભૂમિકા નિભાવવાના બદલે લાગતા વળગતાઓને આગળ કરી મુખ્ય દાતાઓને નીચા દેખાડવા પ્રયત્ન કરાતા ગુજરાતી મચ્છુ કઠીયા જ્ઞાતિના પ્રમુખ, સેક્રેટરી સામે મુખ્ય દાતાએ 5 કરોડનો માનહાનીનો દાવો કરતા ખળભળાટ મચી ગયો છે.આ અંગે વિમલભાઈ ચાવડા દ્વારા જ્ઞાતીના આગેવાનો વિરૂદ્ધ રાજકોટ શહેર પોલીસ રૂબરૂ આઈ.પી.સી.કલમ 406, 420 મુજબ વિશ્વાસઘાત અને છેતરપીંડી અંગેની ફોજદારી ફરીયાદ નોંધવા ફરિયાદ કરાઈ છે. શ્રી ગુજરાતી મચ્છુ કઠીયા જ્ઞાતિ રાજકોટ સહયોગ વાડી 15/6 ભકિતનગર સોસાયટી ધર્મજીવનદાસજી માર્ગ, ઢેબર રોડ, રાજકોટના ટ્રસ્ટી પ્રમુખ સહિતના હોદ્દેદારો તરીકે કાર્યરત આગેવાનો દ્વારા જ્ઞાતિના વિવિધ કાર્યક્રમોમાં તેમજ નાણાકીય વહિવટમાં મનસ્વી રીતે ચલાવતા હોવા અંગે જ્ઞાતિના સભ્ય અને અગ્રણી દાતા વિમલભાઈ દિલીપભાઈ ચાવડાએ સણસણતો આક્ષેપ કર્યો છે. તેમણે આ મામલે સમાજના હોદેદારોનું ધ્યાન દોયું હતું. તેમજ આ મામલે લીટીગેશન થયા હતાં. ત્યારે જ્ઞાતિના હોદેદારો દ્વારા કોર્ટમાં જે પ્રકારનું અંડરટેઈકીંગ આપવામાં આવ્યું હતું.

એ મુજબનું પાલન થયું નથી.આથી જ્ઞાતિના જાગૃત સભાસદ, સભ્ય દરજ્જે વિમલભાઈ ચાવડાએ ધ્યાન દોરી અંડરટેઈકીંગ મુજબનું પાલન કરવા વિનંતી કરી હતી. પરંતુ અમુક હોદેદારોએ પોતાની રીતે મનધડંત વાણી, વર્તન, વ્યવહાર, કરતા જ્ઞાતિના જવાબદાર હોદેદાર તથા સભ્ય ધર્મેન્દ્રભાઈ પરમાર(સભ્ય) અને ભરતભાઈ દુદકીયા (પ્રોજેકટ ચેરમેન) વિરૂદ્ધ રાજકોટ સિવિલ કોર્ટમાં વિજ્ઞાનપન થવા કાયમી મનાઈ હુકમ મેળવવાનો દાવો દાખલ કર્યો હતો.

આ દાવા અંગેની નોટિસ સમન્સ જ્ઞાતિના જવાબદાર હોદેદારો અને સભ્યોને બજી જતાં તેઓએ અંડરટેઈકીંગ મુજબ વર્તવાના બદલે સમગ્ર સમાજમાં બદનામી થાય તેવા પ્રયત્નો કર્યા હતા વિમલભાઈએ જ્ઞાતિના પ્રમુખ પરેશભાઈ ચાવડા અને સેક્રેટરી ગૌરવભાઈ ચાવડા વિરૂદ્ધ રૂપિયા પાંચ કરોડનો માનહાનીનો દાવો દાખલ કરેલ છે.વિમલભાઈ ચાવડાઆએ જ્ઞાતિના હોદેદારો, આગેવાનો વિરૂદ્ધ વિશેષમાં કરેલા આક્ષેપ મુજબ કાર્યક્રમ સામે મૌખિક વિરોધ કરાતા દાવામાં જણાવેલા આરોપીઓ દ્વારા તેઓને બદનામ કરવા તેમના વિરૂદ્ધ લખાણવાળી પત્રિકા પ્રસિદ્ધ કરાવી હતી. બદનામ કરવાના ઈરાદે આવી પત્રિકાઓ જ્ઞાતિના અન્ય સભ્યોને પોસ્ટ મારફત મોકલી સમાજમાં નીચા દેખાડવાનું હિન કાર્ય કર્યાનો આક્ષેપ પણ કર્યો છે. આ કેસમાં વિમલભાઈ ચાવડા વતી એડવોકેટ તરીકે ભગીરથસિંહ ડોડીયા તથા દીવાની દાવામાં પરેશ મારૂ રોકાયેલ છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj