સાવરકુંડલાની મેઇન બજારમાં ફરી આખલા યુધ્ધ : મોટી જાનહાની થાય તે પહેલા યોગ્ય પગલા લેવા માંગ

Local | Amreli | 20 April, 2024 | 01:13 PM
સાંજ સમાચાર

ગઇકાલ તા. 19ને સાંજે 5:30 વાગ્યાના અરસામાં સાવરકુંડલા ની મેઈન બજારમાં આખલા યુદ્ધ થયું હતું. અવારનવાર સાવરકુંડલામાં આ પ્રશ્ન થઈ રહ્યો છે અંતે ઉલ્લેખનીય છે કે મેઇન બજાર માં મોટા પ્રમાણમાં વેપારીઓ હોય છે અને સતત વાહનોની પણ અવરજવર રહેતી હોય છે ત્યારે આ પ્રશ્ન થી સૌ લોકો પરેશાન થઈ રહ્યા છે.  વિદ્યાર્થીઓથી લઈ વડીલો પસાર થતા હોય છે ત્યારે તંત્ર દ્વારા પગલાં લેવા ખૂબ જરૂરી બની રહ્યા છે થોડાક સમય પહેલા જ સાવરકુંડલાની હોમગાર્ડ કચેરી બાજુમાં આ આખલા યુદ્ધ થયું હતું ત્યારે આજે ફરી મેઈન બજારમાં આખલા યુદ્ધ થયું હતું. જો તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવે તો મોટી જાનહાની થાય તો પણ નવાઈ નહીં ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આવનારા સમયમાં શું પગલાં લેવામાં આવે છે પણ હાલ આ આખલાઓનો પ્રશ્ન ઉડીને આંખે વળગે તેવો છે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj