ગઇકાલ તા. 19ને સાંજે 5:30 વાગ્યાના અરસામાં સાવરકુંડલા ની મેઈન બજારમાં આખલા યુદ્ધ થયું હતું. અવારનવાર સાવરકુંડલામાં આ પ્રશ્ન થઈ રહ્યો છે અંતે ઉલ્લેખનીય છે કે મેઇન બજાર માં મોટા પ્રમાણમાં વેપારીઓ હોય છે અને સતત વાહનોની પણ અવરજવર રહેતી હોય છે ત્યારે આ પ્રશ્ન થી સૌ લોકો પરેશાન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓથી લઈ વડીલો પસાર થતા હોય છે ત્યારે તંત્ર દ્વારા પગલાં લેવા ખૂબ જરૂરી બની રહ્યા છે થોડાક સમય પહેલા જ સાવરકુંડલાની હોમગાર્ડ કચેરી બાજુમાં આ આખલા યુદ્ધ થયું હતું ત્યારે આજે ફરી મેઈન બજારમાં આખલા યુદ્ધ થયું હતું. જો તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવે તો મોટી જાનહાની થાય તો પણ નવાઈ નહીં ત્યારે જોવાનું રહ્યું કે તંત્ર દ્વારા આવનારા સમયમાં શું પગલાં લેવામાં આવે છે પણ હાલ આ આખલાઓનો પ્રશ્ન ઉડીને આંખે વળગે તેવો છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy