(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 6
રાજ્યની અંદર ઉનાળામાં પાણીની વિતરણની સમસ્યા સર્જાય છે. ત્યારે ધ્રાંગધ્રા રોજ નગરપાલિકા દ્વારા પૂર્વ અને પશ્ચિમ 2 ઝોન પાડી અને એક કલાક પાણીનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે નગરપાલિકા દ્વારા નર્મદાનું પાણી અને બોરના સંયુક્ત વિતરણની પ્રક્રિયા કરી લોકોને પાણીનું વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. આમ એક માત્ર જિલ્લામાં ધ્રાંગધ્રા પાલિકા દ્વારા રોજ એક કલાક પાણી વિતરણ કરવામાં આવે છે. આથી લોકોમાં રાહત ફેલાઈ હતી. બીજી તરફ 7 કરોડના ખર્ચે નલ સે જલ યોજના દ્વારા શહેરમાં પાઇપલાઈનની કામગીરી કરાશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળાની અંદર પાણીની વિતરણની સમસ્યા સર્જાય છે. ત્યારે ધ્રાંગધ્રા રણકાઠાનો વિસ્તાર ગણવામાં આવે છે. પણ ધ્રાંગધ્રા નગરપાલિકાને તત્કાલીન શહેરી વિકાસ મંત્રી આઈ.કે. જાડેજા દ્વારા પાણી માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી.
ત્યારે આ ગ્રાન્ટ દ્વારા નગરપાલિકા દ્વારા ધ્રાંગધ્રાના દરેક વિસ્તારમાં પાણી નવી પાઈપ લાઈનો નાંખી અને વિતરણની કામગીરી કરવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રા નગરપાલિકાને નર્મદાનું પાણી, બોરના પાણી ધ્રાંગધ્રામાં અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરાય છે. 12 જેટલા બોરમાંથી પાણી લઈ અને શહેરની અંદર પૂર્વ અને પશ્ચિમ 2 ઝોન પાડી રોજ એક કલાક પાણી વિતરણ કરવામાં આવે છે.
આમ લોકોને પાણીની વિતરણમાં તકલીફ ન પડે તે માટે નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, ઉપપ્રમુખ હીરેનભાઈ કાનાબાર, કારોબારી ચેરમેન પૂજાબેન જાદવ, શાસક પક્ષના નેતા રમેશભાઈ પ્રજાપતિ, ચીફ ઓફિસર મંન્ટીલ પટેલ અને નગરપાલિકાની ટીમ દ્વારા પાણી વિતરણની યોગ્ય વ્યવસ્થા કરીને ભરઉનાળાને પણ એક કલાક પાણીનું વિતરણ કરવામાં આવે છે. જેના કારણે લોકોમાં રાહત ફેલાઇ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy