જામખંભાળીયા, તા. 20 ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો રવિવાર તારીખ 21 સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને જાન લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મ્યને પુન: ઉજાગર કરતા દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર પંડ્યાએ જણાવ્યું હતું કે, તા. 21 એપ્રિલ સુધી માધવપુર ઘેડ ખાતે મેળો યોજાનાર છે. ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણીજી સાથે વિવાહ કરીને બારાત લઈને દ્વારકા પહોંચ્યા તે પૌરાણિક મહાત્મયને પુન: ઉજાગર કરવા દ્વારકામાં રવિવાર તારીખ 21 ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનો સત્કાર સમારોહ યોજવામાં આવશે. શોભાયાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. બેઠકમાં સમગ્ર આયોજનની સુ વ્યવસ્થિત તૈયારી થાય તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી, જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. ધાનાણી, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઇન્ચાર્જ નિયામક ગોહિલ, ખંભાળિયાના પ્રાંત અધિકારી કે.કે. કરમટા તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy