રાજકોટ તા. 7
આંબેડકર નગરની પરિણીતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણિતાએ જેઠાણીના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. બનાવની વિગત મુજબ આંબેડકર નગર એસટીવર્ક શોપ પાછળ રહેતી હેમાબેન દિનેશભાઈ વાઘેલા (ઉ.વ.25) નામની પરિણિતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ અંગે તેના પરિવારજનોએ જણાવ્યું કે હેમાબેનનો પરિવાર અને તેનાં જેઠાણીનો પરિવાર એક જ મકાનમાં ઉપર નીચે રહે છે. તેણીની જેઠાણી નિર્મળા ઘર ખાલી કરવા બાબતે વારંવાર દબાણ કરતી હતી. જેથી કંટાળી પરિણિતાએ આજે સવારે પોતાના ઘરે ફિનાઈલ પી લેતા તાકિદે પરિણીતાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેણીના પતિ રિક્ષા ચલાવે છે. તેણીને સંતાનમાં એક પુત્ર છે. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે માલવીયા નગર પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy