કોડીનાર,તા.6
ગઈકાલે કોડીનાર તાલુકાનાં નિવૃત આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ મુખ્યમંત્રી ને સંબોધી કોડીનાર મામલતદારને આવેદન આપી પોતાને મળતા ગ્રેચ્યુટીનાં લાભો આપવા માંગ કરી હતી..સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને માગણી કરી હતી.નિવૃત આંગણવાડીની બહેનોએ આવેદનમાં ચીમકી આપી હતી કે, ’અમારી વ્યાજબી માગણી નહિ સંતોષાય તો અમે મતદાનનો બહિષ્કાર કરીશું.આખરે આઇસીડીએસ અધિકારીઓએ લેખિત ખાત્રી આપતા સુખદ સમાધાન થયું હતું.નિવૃત મહિલા આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને 90 દિવસમાં તેઓને મળનારી ગ્રેચ્યુટી મળી જશે.આંગણવાડીની મહિલા કાર્યકરો આગામી 7 તારીખે કરશે મતદાન.
ભારતની સુપ્રીમ કોર્ટે થોડા મહિનાઓ પહેલા એવો ચુકાદો આપ્યો હતો કે, ’નિવૃત આંગણવાડી મહિલા કાર્યકરો અને હેલ્પરોને ગ્રેચ્યુટી નો લાભ મળવો જોઈએ.’ જે અનુસંધાને કેટલીક મહિલાઓને આ લાભ મળ્યો હતો જ્યારે કોડીનાર તાલુકા અને શહેરી વિભાગની 80 જેટલી મહિલાઓને કોઈને કોઈ કારણોસર ગ્રેચ્યુટી થી વંચિત રાખવામાં આવી હતી.પોતાના અધિકાર આતે વારંવારની રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા આખરે આ મહિલાઓ રણચંડી બની.ઉગ્ર આક્રોશ સાથે આવેદન લઈને કોડીનાર મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવતા જિલ્લા કલેકટરની વિશેષ સૂચનાથી આજે સવારે આઇસીડીએસનાં પ્રોગ્રામ ઓફિસર હીરાબેન રાજસાખા કોડીનાર આવ્યા હતા અને આ તમામ બહેનોને મળી જણાવ્યું હતું કે, ’હાલ આચાર સંહિતા અમલમાં હોય ચૂંટણી પુરી થયા બાદ સરકારમાં રજુઆત કરવામાં આવશે અને ચૂંટણી બાદ 90 દિવસમાં આપ સૌની ન્યાયિક અને યોગ્ય માગણી પૂર્ણ કરવામાં આવશે.’ આ પ્રકારની લેખિત ખાત્રી આપ્યા બાદ તમામ બહેનો એ સંતોષ વ્યક્ત કર્યો હતો.તથા આગામી તારીખ 7 ના રોજ ઉત્સાહ પૂર્વક મતદાન કરશે.તેવી વળતી ખાત્રી પણ આંગણવાડી નિવૃત બહેનોએ આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy