♦ કાલે ચકાસણી: અનેક બેઠકો પર સર્જાયેલા નવા ફેકટરથી ચુંટણી જંગ રસપ્રદ બની રહેવાનો સંકેત: હવે પ્રચાર જામશે
રાજકોટ: ગુજરાતમાં રસપ્રદ બની ગયેલી લોકસભા ચૂંટણીમાં આજે ઉમેદવારી નોંધાવવાના આખરી દિને હવે ભાજપના બે દિગ્ગજ નેતા કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ ગઈકાલના બન્નેના તેમના મતક્ષેત્રમાં જબરા રોડ-શો બાદ આજે ઉમેદવારી નોંધાવી છે.
તો બીજી તરફ હવે સૌથી ચર્ચાસ્પદ બની ગયેલી રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે અમરેલી પંથકનાં તેમના હરીફ અને કોંગ્રેસના યુવા નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ તથા પુર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહીતના નેતાઓની હાજરીમાં ઉમેદવારી નોંધાવી છે.
ગુજરાતમાં હવે આગામી સપ્તાહથી પ્રચારનો એક ખૂબ જ મહત્વનો તબકકો શરૂ થશે. રાજયમાં તા.7 મે ના રોજ યોજાનારા મતદાન પુર્વે હજુ અનેક રંગ જોવા મળે તેવા પણ સંકેત છે. આગામી સપ્તાહમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં એક જાહેરસભા યોજાશે. જેથી ભાજપના પ્રચારનો ટેમ્પો જામી જશે.
ગઈકાલે શ્રી અમીત શાહે તેમના મતક્ષેત્ર ગાંધીનગરની તમામ સાત વિધાનસભા બેઠકોને આવરી લે તો બે તબકકાના જબરો રોડ-શો યોજયો હતો અને લોકસભા ચુંટણીમાં ભાજપનો ટંકાર પણ કર્યો હતો તો બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવસારીમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓની હાજરીમાં જબરો રોડ-શો કર્યો હતો પણ ઉમેદવારી માટે વિજય મુર્હુત ચુકી જતા હવે તેઓ આજે ઉમેદવારી નોંધાવી છે.
આજે જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુનમબેન માડમે પણ ઉમેદવારી નોંધાવી છે અને આ સાથે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં હવે ઉમેદવારીનો તબકકો પુરો થયો છે.
આજે બપોરે 3 વાગ્યા સુધીમાં ઉમેદવારી બાદ આવતીકાલે ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે અને બાદમાં તા.21-22 એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રકો પાછા ખેંચી શકાશે જેથી આગામી સપ્તાહમાં ગુજરાતમાં ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ચૈતર વસાવાની સંપતિ વધી: બન્ને પત્નીની મિલ્કતોમાં પણ વધારો
રાજપીપળા:
લોકસભાની બેઠક પર ભાજપ સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ચુંટણી અધિકારી સમક્ષ સોગંદનામુ રજુ કર્યું હતું. ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા તથા તેમના પત્નીની સ્થાવર અને જંગમ સંપતિમાં 5 વર્ષમાં 1.18 કરોડનો વધારો થયો છે. 2019ની ચુંટણીમાં તેમણે પોતાની કુલ સંપતિ 68.35 લાખ દર્શાવી હતી.
2024માં એ વધીને 1.28 કરોડ પર પહોંચી છે. 2019 થી 2024ના સમયગાળામાં તેમની કુલ સંપતિમાં 78.98 લાખનો વધારો થયો છે. 2019માં મનસુખ વસાવાની જંગમ સંપતિ 30,96,044 રૂપિયા અને સ્થાવર સંપતિ 20,50,000 રૂપિયા હતી. તેમના પત્નીની જંગમ સંપતિ 16,89,913 રૂપિયા હતી. પાંચ વર્ષના સમયગાળામાં મનસુખ વસાવાની જંગમ સંપતિમાં 2.28 લાખનો વધારો થયો છે. જયારે તેમની પત્નીની જંગમ સંપતિમાં 41.46 લાખનો વધારો થયો છે.
મનસુખ વસાવા પાસે 5 તોલા સોનું, 100 ગ્રામ ચાંદી, પત્ની સરસ્વતીબેન પાસે 35 તોલા સોનુ અને 500 ગ્રામ ચાંદી છે. વાહનોમાં તેઓ પાસે એક ઈનોવા જયારે પત્ની પાસે સ્કોર્પીયો છે. કાર લોનમાં તેઓનું દેવું 2.04 લાખ અને પત્નીનું 9 લાખનું દેવું છે.
મનસુખભાઈની ઉંમર 66 વર્ષ અને તેઓ બી.એ. એમએસડબલ્યુ થયેલા છે. વર્ષ 2022 અને 23માં તેઓએ રૂપિયા 12.35 લાખનું રીટર્ન ભર્યું છે અને પત્નીનું રીટર્ન 4.14 લાખ બતાવ્યું છે. તેઓને એક પણ રૂપિયાનું સરકારી દેવું નથી, કે કોઈ પોલીસ કે કોર્ટ કેસ નથી.
જયારે ઈન્ડીયા ગઠબંધનના 34 વર્ષના ઉમેદવાર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ રજુ કરેલા સોગંદનામા મુજબ તેઓ પાસે 13 ગુના પૈકી 10 દેડીયાપાડા અને એક એક કેવડીયા, સાગબારા તેમજ રાજપીપળા પોલીસ મથકે નોંધાયેલા છે. 2022ની વિધાનસભા વખતે દર્શાવેલ જંગમ મિલકત સામે 2024માં સોગંદનામા મુજબ તેઓની જંગમ મિલકતમાં રૂપિયા 2.96 લાખનો વધારો થયો છે. જયારે 20 લાખ સ્થાવર મિલકત સ્થિર રહી છે.
બે પત્નીઓ પૈકી શકુંતલાબેનની જંગમ મિલકત 15 મહિનામાં 3.43 લાખ જયારે વર્ષાબેનની 11.51 લાખ ઘટી છે. તેઓ પાસે એક એસયુવી કાર છે. જો કે સોનામાં તેઓ અને બન્ને પત્નીના નામે બે બે તોલાનો વધારો થયો છે. તેમની પાસે 5 તોલા, શકુંતલાબેન પાસે 9 તોલા જયારે વર્ષાબેન પાસે 5 તોલા સોનું છે. હાથ પર રોકડ તેઓ પાસે 2 લાખ, શકુંતલાબેન પાસે 2 લાખ જયારે વર્ષાબેન પાસે 2 લાખ જયારે વર્ષાબેન પાસે 50 હજાર હોવાનું દર્શાવ્યું છે.
બીઆરએસ ગ્રેજયુએટ થયેલા ચૈતર વસાવાની આવકનો સ્ત્રોત ખેતી, લેબર કોન્ટ્રાકટ અને વેપાર છે. શકુંતલાબેન પણ ખેતી અને વેપાર કરે છે. જયારે બીજા પત્ની વર્ષાબેન ગૃહિણી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy