રાજકોટ, તા.26
લોકસભા ચૂંટણીમાં હવે ત્રીજા તબકકામાં ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો પર તા.7 મેના રોજ મતદાન યોજાવાનું છે તે પૂર્વે હવે રાષ્ટ્રીય નેતાઓના શરુ થયેલા પ્રવાસમાં આવતીકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોરબંદર લોકસભા બેઠક લડી રહેલા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાના સમર્થનમાં એક સભાને સંબોધવા જામકંડોરણા આવી રહ્યા છે અને અહીં વિશાળ રેલી સાથે સભા યોજાશે.
શ્રી શાહ અમદાવાદથી ખાસ વિમાનમાં રાજકોટના હિરાસર વિમાની મથકે સવારે 10-15 કલાકે આવી પહોંચશે અને 15 મીનીટ એરપોર્ટ પર રોકાણ કરીને સીધા હેલીકોપ્ટર મારફત જામકંડોરણા જવા રવાના થશે. જ્યાં તેઓ સભાને સંબોધન કર્યા બાદ 12-15 કલાકે સીધા ગાંધીનગર જવા રવાના થશે.
શ્રી શાહના આગમન પૂર્વે તેમની સુરક્ષા ટીમ જામકંડોરણા પહોંચી ગઇ છે અને સૌરાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીમાં આ પ્રથમ સૌથી મોટી સભા હશે. તા.2ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સૌરાષ્ટ્રમાં સભાઓને સંબોધન કરશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy