અમરેલી ખાતે આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગ દળ ની રાષ્ટ્રીય છાત્ર પરિષદની મિટિંગ મળેલ હતી, જેમાં આગામી દિવસો માં હિન્દુ સમાજ સંગઠિત કરી હનુમાન ચાલીસાના પાઠ કરવા,આવતા દિવસો મા રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંત વીર હિન્દુ વિજયતા હિન્દુ પરીક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવશે, યુવાનોને રાયફલ શૂટિંગ, યોગાસન, પ્રાણાયામ, ઘ્યાન તીરંદાજી, બૌઘ્ધિક જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે, યુવાનોને આત્મીયતા કેળવી શકાય તેવા હિન્દુ ધર્મ વિશે માર્ગદર્શન આપવામાં આવશે, તેમજ અમરેલી જિલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળનું સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો કરવામાં આવશે, આ મિટિંગમાં માર્ગદર્શનમાં રણછોડભાઈ ભરવાડ રાષ્ટ્રીય મંત્રી આ હિન્દુ પરિષદ ગુજરાત રાજય પ્રમુખ દ્વારા આપવામાં આવેલ, ડો . ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત અઘ્યક્ષ નિર્મળભાઈ ખુમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી આ હિન્દુ પરિષદ પ્રાંત ઉપાઘ્યક્ષ મનસુખભાઈ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy