♦ પોરબંદરમાં મોઢવાડિયા એકંદરે સલામત પણ માણાવદરમાં લાડાણી માટે જવાહર ચાવડા ફેકટર મહત્વનું બનશે
♦ વાઘોડીયામાં ક્ષત્રિય સમાજના જ બે ઉમેદવારો વચ્ચે જંગ: રૂપાલા ફેકટર ભૂમિકા ભજવશે
♦ આણંદમાં મજબૂત અમિત ચાવડા લોકસભામાં ભાજપને ટકકર આપે છે: ખંભાતમાં પક્ષપલ્ટુ સામે નારાજગીનો ફાયદો મહેન્દ્રસિંહ પરમારને મળી શકે
♦ વિજાપુરમાં સી.જે.ચાવડા સામે ક્ષત્રિય સમાજનો ગુસ્સો: કોંગ્રેસના દિનેશ પટેલને માટે મતો ખેંચી શકે
રાજકોટ: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પ્રચારના અને વધુ તો વિવાદના પ્રચંડ ‘શોર’ હેઠળ વિધાનસભાની પાંચ બેઠકોની યોજાઈ રહેલી પેટાચુંટણીનો પ્રચાર દબાઈ ગયો છે અને ભાગ્યે જ આ પેટાચૂંટણી ચર્ચાનો વિષય બની છે પણ સૂત્રોના જણાવ્યા મુજબ બે-ત્રણ બેઠકો પર આંતરિક રીતે અન્ડરકરન્ટ ચાલી રહ્યા છે અને તેમાં અપસેટ સર્જાવાની પણ ધારણા છે.
લોકસભા ચૂંટણી પુર્વે ભાજપે પાંચ લાખ મતોની લીડ નિશ્ચિત કરવા 2022માં જે ધારાસભા બેઠકોમાં કોંગ્રેસના ઉમેદવાર સામે પુરો લડીને પણ જીત્યા હતા. તેઓને ઓપરેશન લોટસ હેઠળ ભાજપમાં ભેળવવામાં આમ આદમી પાર્ટીના એક અને એક અપક્ષ સહિત કુલ છ વિધાનસભા બેઠકોના ધારાસભ્યોને રાજીનામા આપીને અહી પેટાચુંટણીમાં લોકસભા સાથે યોજાય તે નિશ્ચિત કર્યુ હતું પણ વિસાવદર બેઠકમાં કાનૂની વિવાદ ચાલી રહ્યો હોવાથી પાંચ બેઠકો પોરબંદર, માણાવદર, ખંભાત, વિજાપુર અને વાઘોડીયા બેઠક પર ચુંટણી યોજાઈ રહી છે.
તેમાં ભાજપે કોંગ્રેસના જ પક્ષાંતર કરી આવેલા તમામ ચાર અને એક બેઠક પરના અપક્ષને ફરી ટિકીટ આપી છે જેમાં પોરબંદરમાં અર્જુન મોઢવાડીયા છે જેની સામે કોંગ્રેસ પક્ષે પક્ષના યુવા ચહેરા રાજુભાઈ ઓડેદરાને ટિકીટ આપી છે તેઓ તાલુકા પ્રમુખ છે. અહી મુળ કોંગ્રેસી નેતાઓ, કાર્યકર્તાઓમાં અર્જુનભાઈના પક્ષ પલ્ટાથી નારાજ છે અને જો લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાની સાથે તેઓ સલામત તરી શકે તો વિજેતા બનશે.
માણાવદર બેઠક પર ભાજપે રાજીનામું આપનાર મુળ કોંગ્રેસી અરવિંદ લાડાણીને ફરી ટિકીટ આપી છે તેની સામે કોંગ્રેસ પક્ષે હરિભાઈ પટેલને ટિકીટ આપી છે. અહી જવાહર ચાવડા ફેકટર ભાજપને ચિંતા કરાવશે જે ડો. માંડવીયાના પ્રચારમાં પણ દેખાયા નથી. પાટીદારો વચ્ચેના આ જંગમાં આહિર મતો મહત્વના છે.
વડોદરા લોકસભા બેઠકમાં ભાજપને ઉમેદવાર બદલવા પડયા હતા તો આ લોકસભા ક્ષેત્ર હેઠળ વાઘોડીયામાં 2022માં ભાજપ-કોંગ્રેસ બન્નેને પરાજીત ભાજપના અસંતુષ્ટ ધર્મેન્દ્રસિંહ વાઘેલા ચુંટાયા હતા જે હવે ફરી ભાજપની ટિકીટ પર ચુંટણી લડે છે તેની સામે કોંગ્રેસ કનુભાઈ ગોહિલને ટિકીટ આપી છે જે ક્ષત્રિય સમાજના છે. આમ આ બેઠક પર ક્ષત્રિય અગ્રણીઓ ટકરાશે તો હાલમાં જે રીતે ક્ષત્રિય આંદોલન ચાલે તેમાં હવે ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ જઈ શકે છે.
ખંભાત બેઠક પર ચિરાગ પટેલને ‘ખેડવી’ ભાજપે આણંદ લોકસભા બેઠક જીતવા પ્રયાસ કર્યા છે પણ કોંગ્રેસના લોકપક્ષના મજબૂત ઉમેદવાર અમીત ચાવડા છે. અહી ઓબીસી ક્ષત્રિય મતો નિર્ણાયક છે અને વિધાનસભામાં ભાજપે પુન: મુળ કોંગ્રેસી ચિરાગ પટેલને ટિકીટ આપી છે. તેની સામે મહેન્દ્રસિંહ પરમાર મજબૂત છે.
આણંદ બેઠક પણ જોખમમાં છે તો વિજાપુર બેઠક જે લોકસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહના ગાંધીનગર લોકસભા બેઠક હેઠળ આવે છે તે બેઠક પર કોંગ્રેસમાંથી આવનાર સી.જે.ચાવડાને ભાજપે ફરી ટિકીટ મળી છે. અહી ક્ષત્રિય આંદોલનની અસર છે તેથી ભાજપે અહી મુળ કોંગ્રેસમાંથી આવેલા જયરાજસિંહ જાડેજાને જવાબદારી સોંપી છે તો કોંગ્રેસ પક્ષે મહેસાણા જીલ્લાના પાટીદાર અગ્રણી દિનેશ પટેલને ટિકીટ આપી છે અને તેઓ હવે પાટીદાર-ક્ષત્રિયોના મતો મેળવે તો કદાચ અપસેટ સર્જી શકશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy