રામ નામ કે હિરે મોતી મેં બીખરાઉ ગલી ગલી ભજન ને જીવન માં સાચી રીતે સાર્થક કરી ને જીવનને ભક્તિમય બનાવી અધ્યાત્મના રંગે રગાયેલ ગોંડલ રહેવાસી 80 વર્ષ ના અભણ વયોવૃદ્ધ દાદા લવજીભાઈ હરજીભાઈ પિત્રોડા એ સવા કરોડ રામ નામ લખેલ. રામ નામે જો પથરા તરી જતા હોય એ રામ દ્રારા અપાયેલ અમૂલ્ય જીવન સાર્થક થવું જ જોઈએ આ સમજણ છે. લવજીભાઈ હરજીભાઈ પિત્રોડાની. દાદા એ 4 વર્ષ પહેલાં રામ નામ લખવાનું ચાલુ કરેલ અને સવા કરોડ રામ નામ રૂપી મંત્ર સિદ્ધ કરેલ છે.તેમણે 3 વર્ષ પહેલા પોતાનું ઘર બનતું ત્યારે પોતે રામ નામ લખેલ ચોપડી ઘર ના પાયા માં મુકેલ સાથે કોઈ પણ કુટુંબ માંથી ઘર બનાવે તો એમના પાયા માં પણ પોતે લખેલ ચોપડી મુકાવે.. લવજીભાઈ નાનપણ થી જ ભક્તિભાવ માં રુચિ ધરાવે છે અંબે માં ના ઉપાસક છે સાથે વર્ષ ના ચાર નોરતા માં હર હંમેશા અનુષ્ઠાન કરે છે સાથે નવમા નોરતે કુવારીકા ને જમાડી ને યથા શક્તિ લાણી આપે છે આમ લવજીભાઈ એ એમનું આખું જીવન ભક્તિમય રાખેલ છે. લવજીભાઈ સાથે વાતચીત કરતા અમને જણાવેલ કે એ હજુ પણ રામ નામ લખવાનું અંતિમ શ્વાસ સુધી ચાલુ રાખશે . વધુ માં લવજીભાઈ એ જણાવેલ કે રામ ના સમયમાં રામ નામ લખવાથી કઠોર પથ્થર પણ નરમ થઇ ને પાણી માં તરવા લાગેલ એમ જીવન માં રામ નામ લખવાથી જીવન માં કોઈ પણ કઠોર મુશ્કેલી પણ નરમ થઈ જાય.. કળિયુગ માં જેટલા ભગવાનના નામ લેવાઈ એટલા ઓછા આવા ઉચ્ચ વિચાર દાદા ધરાવે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy