રાજકોટ, તા.2
રાજકોટ બાર એસો. વર્ષ-2024 ની ચુંટાયેલ બોડી દ્વારા સર્જનાત્મક કામ હાથ ધરી સને 2016 ના અરસાથી રાજકોટ બારના સભ્યોની ડીરેકટરી બનેલ ન હોય ધણા બધા એડવોકેટનું નિધન થયેલ હોય અને ધણા બધા નવા વકીલોનું ઉમેરો થયેલ હોય તેથી સને 2024 ના અરસામાં અત્યાર સુધીની ડીરેકટરીથી અલગ પ્રકારની એટલે કે બાર ના સભ્યોની ફોટા સાથેની ફીઝીકલ ઉપરાંત ઈ-ડીરેકટરી બનાવવામાં આવશે.
જેમાં ગયા વર્ષનો જુનો ડેટા એટલે કે 586 વકીલઓના ફોર્મ ભરેલા, જેની એ.બી.સી.ડી. પ્રમાણેના નામની પી.ડી.એફ. રાજકોટ બાર એશોસીએશન દવારા વકીલશ્રીઓના વોટસએપ ગ્રુપમા ફેરવવામાં આવેલ છે. તથા કોર્ટમાં લાયબ્રેરીમાં આ લીસ્ટ રાખેલ છે. જે વકીલઓના નામ છે તે વકીલઓએ ડીરેક્ટરીના ફોર્મ ભરવાના નથી, માત્ર ફોર્મમાં કોઈ ફેરફાર કરવો હોય તો લાયબ્રેરીમાં આવી કરાવી શકશે. જે વકીલ સભ્યોએ ડીરેકટરીનું ફોર્મ ભરેલ નથી તેવા વકીલ સભ્યોને સત્વરે રાજકોટ બારમાંથી ફોર્મ મેળવી ફોર્મ ભરી જવાનું રહેશે.
નવું ફોર્મ ભરનારે ફોર્મમાં ફોટો ચોટાડી વકીલના બી.સી.જી.નું આઈકાર્ડની નકલ સાથે રાજકોટ બારની લાયબ્રેરીમા વેકેશન પહેલા વહેલી તકે પહોંચતું કરવાનું રહેશે. આ તજે પ્રમુખ બકુલભાઈ વી. રાજાણી, ઉપપ્રમુખ સુરેશભાઈ આર. ફળદુ, સેક્રેટરી પી.સી. વ્યાસ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્રભાઈ ગોંડલીયા, ટ્રેઝરર આર.ડી.ઝાલા, લાયબ્રેરી સેક્રેટરી મેહુલભાઈ મહેતા તથા મહીલા કારોબારી સભ્ય રેખાબેન લીંબાસીયા અને કારોબારી સભ્યો અજયભાઈ પીપળીયા, કૌશલભાઈ વ્યાસ, ભાવેશભાઈ રંગાણી, અમીતભાઈ વેકરીયા, નિકુંજ શુકલ, પિયુષભાઈ સખીયા, અજયસિંહ ચૌહાણ, રણજીત મકવાણા, હીરલબેન જોષી જહેમત ઉઠાવી રહેલ છે તથા આ ડીકેરટરી અંગેની માહીતી માટે જયેન્દ્રભાઈ ગોંડલીયા મો.9374179241, અજયભાઈ પીપળીયા મો.9426932001, નીકુંજભાઈ શુકલ મો.9974609999, રેખાબેન લીંબાસીયા મો. 9898020104, પિયુષભાઈ સખીયા મો. 9723891091, અમીતભાઈ વેકરીયા મો. 9879500770, કૌશલભાઈ વ્યાસ મો. 9898578584 નો સંપર્ક કરવાનો રહેશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy