(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.6
વડીયા તાલુકાના કોલડા ગામે રહેતા એક વૃદ્ધ દંપતી બીમારી તથા સામાજિક બાબતે મનમાં લાગી આવતાં આ વૃદ્ધ દંપતીએ ગત તા.2/5 ના રોજ આશરે રાત્રીના 9 વાગ્યે કોલડા ગામે પોતાના ઘરે ઝેરી ટીકડાંઓ પી જતા સારવાર દરમ્યાન મરણ ગયાનું તેમના પુત્રએ પોલીસમાં જાહેર કરેલ છે.
આ બનાવમાં પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ વડીયા તાલુકાના કોલડા ગામે રહેતા નાનજીભાઇ ભીખાભાઇ સોંદરવા નામનાં 75 વર્ષિય વૃદ્ધ તથા તેમના પત્નિ જીવતીબેન નાનજીભાઇ સોંદરવા નામનાં 74 વર્ષિય વૃદ્ધા બન્ને પતિ-પત્નિ હોય અને નાનજીભાઇ ભીખાભાઇ સોંદરવાને છેલ્લા દસ વર્ષથી માનસીક બિમારી હોય, અને તેની દવા ચાલુ હોવા છતા તેમને સારૂ ન થતુ હોય, તેમજ જીવતીબેન નાનજીભાઇ સોંદરવાને બંને પગના ગોઠણમાં છેલ્લા છ માસથી દુ:ખાવો રહેતો હોય, અને તેની પણ દવા ચાલુ હોય, તેમ છતા સારૂ થતુ ન હોય તેમજ મરણજનાર વૃદ્ધ દંપતીની બે દિકરીઓ નાની ઉંમરે વિધવા થયેલ હોય.
તેમજ તેમના દિકરાનો કામ ધંધો ચાલતો ન હોય, જેથી આ બાબતે આ વૃદ્ધ દંપતીને લાગી આવતા આ પતિ-પત્નિએ પોતાની મેળે ગત તા.2/5 ના રોજ આશરે રાત્રીના 9 વાગ્યે કોલડા ગામે પોતાના ઘરે રહેણાંક મકાનમાં પોતાની મેળે બંને ઝેરી ટીકડાંઓ પી જતા સારવાર દરમ્યાન મરણ ગયાનું તેમના પુત્ર સુરેશભાઇ નાનજીભાઇ સોંદરવાએ વડીયા પોલીસમાં જાહેર કરેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy