(વિપુલ હિરાણી) ભાવનગર, તા.16
ભાવનગર જિલ્લાના તળાજાના સાખડાસર -1 ગામે રહેતા આહિર પંચોલી સમાજના વૃદ્ધ દંપતિ આજે બપોરના સમયે બાઇક લઈને મોગલ ધામ ભગુડા જતા હતા.તે સમયે રસ્તો ઓળંગવા જતા સ્પીડમાં આવતી કારના ચાલકે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત થયુંહતું. જેમાં વૃદ્ધા નું મૃત્યુ સ્થળ પરજ થયુ હતું. જ્યારે વૃદ્ધને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ઘસેડવામાં આવેલ છે જ્યાં તેઓની હાલત અત્યંત નાજુક બતાવવા આવી રહી છે.
તળાજા ની રેફરલ હોસ્પિટલ પરથી અકસ્માત અંગે જાણવા મળતી વિગતો મુજબ સાંખડાસર એક તમે રહેતા મોહનભાઈ સડથાભાઈ લાડુમોર તથા તેમના પત્ની સવિતાબેન મોહનભાઈ લાડુમોર બંને બાઈકનં.જીજે-4બી-227 પર સવાર થઈ ભગુડા સ્થિત આઈ મોગલના દર્શનેજતા હતા.પસ્વી ગામ નજીક પાદરગઢ થી ભગુડા જવાના માર્ગ પર જવા માટે નેશનલ હાઇવે પરથીથીબાઈક વાળતા હતા ત્યારે કાર નંબર જીજે 06 કે એચ 5973 ના ચાલકે બાઈક સવાર વૃદ્ધ દંપતીને અડફેટે લીધાહતા. જેના પગલે સ્થળ પર જ સવિતાબેન 60 નું કમ કમાટી ભર્યું મૃત્યુ થયું હતું. જ્યારે મોહનભાઈ 62 ને પ્રથમ તળાજા સદવિચાર જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર ખાનગી હોસ્પિટલમા લઈ જવાતા તબીબે નાજુક હાલત જણાવતા સર્ટી હોસ્પિટલમાં સારવાર સારવાર લેવાની ફરજ પડી હતી.બનાવને પગલે મોહનભાઈના નાનાભાઈ કાબાભાઈ લાડુમોર એ રે.સાંખડાસર-1 રસ્તાપર જ કાર મૂકીને જતા રહેલ અજાણ્યા ચાલક વિરુદ્ધ દાઠા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.ઉલ્લેખનીય છેકે વૃદ્ધ દંપતિ ના દીકરા સહિત પરિવાર ના સભ્યો સુરત સ્થાઈ થયેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy