રાજકોટ, તા. 27
દેવકીનંદન સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય યુવકને દેણુ થઇ જતા ભગવતીપરા પુલ પાસેની ફાટક નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા બંને પગ કપાઇ ગયા હતા. યુવકને તાત્કાલીક સારવારમાં ખસેડાયો હતો.
પ્રાપ્ત વિગત મુજબ આજી ડેમ ચોકડી પાસે દેવકીનંદન સોાસયટીમાં રહેતા રાજેશભાઇ વિરેન્દ્રભાઇ ચૌહાણ (ઉ.વ.41)ેએ આજે બપોરે બે વાગ્યાની આસપાસ ભગવતીપરા જુનો પુલ 1રરની નંબરની ફાટક નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરતા યુવકના બંને પગ કપાઇ ગયા હતા.
દરમ્યાન બનાવ સ્થળે એકઠા થયેલ લોકોએ યુવકને તાત્કાલીક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. પ્રાપ્ત વિગત મુજબ યુવક મુળ ઉતરપ્રદેશનો વતની છે અને રામવન પાસે આવેલ બરફના કારખાનામાં કામ કરે છે તેમને મકાન લેવા માટે રૂા. 3 લાખની લોન લીધી હતી જે પોતે ભરી ન શકતા અને દેણુ થઇ જતા કંટાળીને આત્મઘાતી પગલુ ભરવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું. યુવકને સંતાનમાં ચાર દિકરી છે. બનાવ અંગે પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy