(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.8
મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યાકુબભાઈ હાસમભાઈ કાજડીયા નામના 67 વર્ષના વૃદ્ધને માળીયા મીંયાણાના ખીરઇ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હોવાથી તેઓનું મોત થતા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.
તા.6-5 ના બપોરના ત્રણેક વાગ્યે બનેલા આ બનાવની હોસ્પિટલ સુત્રોમાંથી જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને તેઓ પાસેથી વધુમાં મળતી વિગતો પ્રમાણે મૃતક યાકુબભાઈ કાજડીયા નામના વૃદ્ધને ખીરઇ ગામે શાકભાજીની કેબીન હોય અને તેઓએ બાજુમાંથી લાઈટનું દોરડું લીધેલ હોય દરમિયાનમાં તેમાંથી કોઈ રીતે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેઓનું મોત નીપજ્યું હતું.હાલ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ માળીયા પોલીસ મથક વિસ્તારનો હોય ત્યાં આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવી હતી.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ અકસ્માત બનાવમાં નેપાળભાઈ કાન્તુભાઈ ભાવર (28) બધુડીબેન નેપાળભાઈ ભાવર (26) અને આયુષ નેપાળભાઈ (7) રહે.ત્રણેય પાડાપુલની નીચે મચ્છુ નદીના પટમાં મોરબી-2 વાળાઓને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ઠોરીયાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy