શુક્રવારે વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ જન્મોત્સવ ઉજવવાનો બ્રહ્મસમાજમાં અનેરો થનગનાટ

Local | Rajkot | 08 May, 2024 | 04:19 PM
ભૂદેવ સેવા સમિતિ દ્વારા અખાત્રીજના ભગવાન પરશુરામ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવાશે
સાંજ સમાચાર

રાજકોટ, તા. 8

આગામી તા. 10ના શુક્રવારે અખાત્રીજનો પરમ પવિત્ર દિવસ છે. ભુદેવ સેવા સમિતિ દ્વારા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામજીનો જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. 

રાજકોટ તથા સૌરાષ્ટ્ર-કચ્છના ભુદેવો ભકિતભાવથી પરશુરામ જયંતીની ઉજવણી કરશે. ગામોગામ અલગ-અલગ  બ્રહ્મ સંસ્થાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, યજ્ઞો, પૂજન અર્ચન સાથે પરશુરામ જન્મોત્સવ ઉજવાશે.

ભુદેવ સેવા સમિતિના સ્થાપક બ્રહ્મ યુવા અગ્રણી તેજસ ત્રિવેદી જણાવે છે કે મહાવૈરાગી અકિંચન બ્રાહ્મણ એવા પરશુરામે 21 વખત જીતેલી પૃથ્વીને પોતાના ગુરૂ ઋષિ કશ્યપને દાન કરી દીધુ હતું અને પોતે તપ કરવા મહેન્દ્ર પર્વ પર ચાલ્યા ગયા હતા. ભગવાન પરશુરામ માતૃ-પિતૃ આજ્ઞા પાલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે તેમજ ભિષ્મ દ્રોણ તથા કર્ણ જેવા મહારથીઓના ગુરૂ પરશુરામ હતા. જે શૌર્ય અને જ્ઞાનના પ્રતિકનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

વિષ્ણુ પુરાણમાં જણાવ્યા અનુસાર અખાત્રીજના ઉપવાસ કરવાથી મૃત્યુ ઉપરાંત બ્રહ્મલોકમાં સ્થાન મળે છે અને પરિભ્રમણ થતા રામ સમાન સુખ મળે છે. પરશુરામ ભગવાનનો જન્મોત્સવ અખાત્રીજના દિવસે હોવાથી બ્રહ્મસમાજમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ હોય અલગ અલગ પરશુરામ ભગવાનના પંડાલોનું સ્થાપન કરવામાં આવતું હોય છે. તા.10ના અખાત્રીજના પરંપરાગત  ગામોગામ નીકળતી શોભાયાત્રામાં બ્રહ્મ પરિવારો એક બની સમાજને મજબુત અને સંગઠીત બનાવી સૌ સાથે મળી ભગવાન પરશુરામના જન્મોત્સવની ઉજવણી કરશે.

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj