માણાવદર તા.23
માણાવદર પંથકમાં ઠેર ઠેર શ્રી હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવા તૈયારી પૂર્ણ થઈ ચૂકી છે. પંથકમાં બ્રહ્મલીન રઘુવીરદાસ બાપુએ હનુમાન જયંતિમાં ગુંદી, ચણા, ગાંઠીયાની પ્રસાદી જમાડવાનું ચાલુ કરેલ ત્યારબાદ પંથકમાં ગામે ગામ હનુમાન જયંતિની ઉજવણી ચાલુ થઈ છે.
સૌથી વિશાળ એવા હડમતાળી હનુમાન મંદિરે તા.23/4ના રોજ 10-30 થી 2-30 વાગ્યા સુધી મહાપ્રસાદ ચાલુ રહેશે જેમાં મંદિરના સેવક ચંદુભાઈ દેકીવાડીયાના માર્ગદર્શન હેઠળ 200 જેટલા કાર્યકરોની ટીમ દ્વારા આજે પ્રસાદ તૈયાર થઈ રહ્યો છે. જેમાં 20 ડબ્બા શુધ્ધ ઘી, 400 કિલો વેસણ, 60 ડબ્બા તેલ, 18 ગુણી ખાંડથી ગુંદી, મોહનથાળ બનશે સાથે 200 કિલો તુવેર, 320 કિલો ચોખા, 600 કિલો બટાટા 800 લીટર ઘોરવું (છાશ) એમ સંપૂર્ણ મહાપ્રસાદ બનશે.
જેનો ભોગ મહાઆરતી વખતે હડમતાળી હનુમાનજી મહારાજને ધરાશે. ત્યારબાદ ભકતજનો માટે વિતરણ થશે. પાંચ વિઘામાં વિશાળ સમીયાણો બાંધી એક સાથે હજારો ભકતજનો પ્રસાદ લે તે માટે વ્યવસ્થા કરી છે. પંથકમાં પંજુરી હનુમાન, ત્ર્યંબકેશ્ર્વર મહાદેવ મંદિર, ખાંભલા મંદિર, કષ્ટભંજન મંદિર સહિત ઠેણ ઠેર મહાપ્રસાદ ભકતજનો લેશે તમામ નાગરીકો હડમતાળી હનુમાન મંદિરે પ્રસાદ લેવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy