(વિપુલ હિરાણી) ભાવનગર, તા.4
ભાવનગર શહેર અને જિલ્લામાં રસ્તે રખડતા ઢોરની સમસ્યાનો કોઈ ઉકેલ ન હોય તેમ સમયાંતરે અકસ્માતની ઘટનાઓ બનતી રહી છે આવી જ એક વધુ ઘટનામાં ગઈકાલે રાત્રિના ઘોઘાના સોનારીયા તળાવ નજીક વિજયભાઈ પોપટભાઈ નિમાવત તેમનું સ્કૂટર લઈને જઈ રહ્યા હતા તે સમયે રોડ ઉપર આખલો આડો ઉતરતા અકસ્માત થયો હતો.
જેમાં વિજયભાઈ નિમાવતને ગંભીર ઇજા થતાં ગંભીર ઇજાગ્રસ્ત વિજયભાઈનું થોડી ક્ષણોમાં જ મોત નીપજ્યું હતું. ઘોઘા પોલીસે વિજયભાઈ નિમાવતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy