રાજકોટ તા.3
ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી...ની ઝુંબેશ અંતર્ગત પોલીસ પ્રજાના આંગણે પહોંચી હતી અને ત્રણ વાત સાંભળી હતી. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓએ સવન સ્ટેટસ એપાર્ટમેન્ટમાં પોલીસ મથક વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓ સાંભળી હતી અને તેના નિરાકરણની ખાતરી આપી હતી.
રાજય સરકારની ઝુંબેશ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારીના અંતર્ગત ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવા, એસીપી બી.જે.ચૌધરી સહિતના પોલીસ અધિકારીઓ તાલુકા પોલીસ મથક વિસ્તારના લોકોને તેના આંગણે સાંભળવા પહોંચ્યા હતા. તાલુકા પોલીસ મથક વિસ્તારના પીઆઈ ધવલ હરિપરાના માર્ગદર્શન હેઠળ મોટામવામાં આવેલ સવન સ્ટેટસ એપાર્ટમેન્ટમાં લોકોની ત્રણ મુશ્કેલી સાંભળવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં રહેવાસીઓએ પોતાની ત્રણ મુશ્કેલીઓ જણાવી હતી. જેમાં મોટામવા વિસ્તારમાં આવેલ પાર્ટીપ્લોટમાં લગ્નપ્રસંગ સમયે તેમજ તે વિસ્તારમાં આવેલ ઈંટોના ભઠ્ઠાઓમાં કામ કરતા શખ્સો દ્વારા અવારનવાર મોડીરાત સુધી મોટા અવાજમાં લાઉડસ્પીકર વગાડવામાં આવતા હોય તેમજ મોટામવા વિસ્તારની આજુબાજુમાં અસામાજીક તત્વો તેમજ ગેરકાયદેસર પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શખ્સો હેરાન કરતા હોવાની ફરિયાદ કરી હતી.
તેમજ નાનામવા રોડ ભીમનગર સર્કલ પાસે આવેલ મટન માર્કેટમાં નોનવેજનું વેચાણ થતુ હોય જેમની દુર્ગંધથી નજીકમાં આવેલ શાળાઓમાં બાળકોને મુકવા જતી મહિલાઓને મુશ્કેલી પડતી હોવાની પણ ફરિયાદ વિસ્તારવાસીઓએ કરી છે.
તાલુકા પોલીસ મથક વિસ્તારના લોકો દ્વારા કરવામાં આવેલ ફરિયાદો વિરુદ્ધ કાર્યવાહી કરી દુષણ દુર કરવાની ખાતરી આપવામાં આવી હતી. તેમજ અન્ય કોઈ સમસ્યા હોય તો નાગરિકોએ તાલુકા પોલીસ મથકના પીઆઈ ધવલ હરિપરા, તાલુકા પોલીસ મથક અને ડીસીપી ઝોન-2નો પણ સંપર્ક કરી શકે છે.
♦લોકોને અસામાજીક તત્વો વિરુદ્ધ કાર્યવાહી દરમ્યાન પંચ તેમજ સાહેદ બનવા પોલીસને અનુરોધ
હાલમાં સાયબર ફ્રોડના બનાવો વધતા જઈ રહ્યા છે ત્યારે નાગરિકોને આર્થિક નુકશાની ભોગવવાનો વારો ન આવે તે માટે ફોન પર આવતા કોઈપણ પ્રકારના ઓટીપી શેર ન કરવા કે કોઈ અજાણી લીંક ખોલવી નહી તેમજ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પરથી આવતા વિડીયોકોલ ઉપાડી વાતો કરવી નહી તેમજ સાયબર ફ્રોડ થાય તો ટોલ ફ્રી નંબર 1930 પર સંપર્ક કરવો. તેમજ કોઈએ પણ રૂપિયાની જરૂર હોય અને વ્યાજખોર પાસેથી રૂપિયા લીધેલ હોય વ્યાજખોર પાસે લાયસન્સ ન હોય અને મનીલેન્ડ એકટ કરતા વધુ રૂપિયા પડાવી પ્લોટ, મકાન કે જમીન લખાવી લેતા હોય.
તો તે અંગે નજીકના પોલીસસ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉપરાંત અસામાજીક તત્વો પર પોલીસ કાર્યવાહી કરે ત્યારે તે કામગીરીમાં પંચો અને સાહેદોમાં રહી પોલીસને મદદરૂપ થવા સમજ આપવામાં આવી તેમજ હાલમાં આપઘાતના બનાવનું પ્રમાણ વધ્યુ હોય તો કોઈપણ વ્યક્તિને કોઈ હેરાન પરેશાન કરતુ હોય તો તે લોકો પોલીસને અથવા જીવન આશા હેલ્પલાઈન નંબર 1800 233 3330 ઉપર સંપર્ક કરવાથી મદદ મળી શકે છે તેમજ નવા કાયદા અંગે પણ પોલીસે સમજ આપી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy