રાજકોટ, તા.8
લગ્નની લાલચે દુષ્કર્મ ગુજાર્યાના ગુનામાં વિંછીયા તાલુકાના કડુકા ગામના સરકારી શિક્ષક સુરેશ ધનજી આંધાણીના આગોતરા જામીન નામંજુર થયા છે.
કેસની વિગત મુજબ, વિંછીયા પંથકની અને રાજકોટમાં ભૂતખાના ચોક વિસ્તારમાં રહેતી યુવતીએ તા.1/4/2024ના રોજ રાજકોટના એ. ડિવિઝન પોલીસ મથકમાં આઇપીસી 376(2)(એન) તથા એટ્રોસિટી એકટની કલમો મુજબ ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ, ફરિયાદી અને આરોપી મૂળ એક જ ગામના હોય, આરોપીએ તા.27/5/2022થી તા.13/11/2023 દરમિયાન અવાર નવાર લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ અલગ અલગ હોટલ અને ગામડે આરોપીના નવા બનાવેલ મકાનમાં લઈ જઈ શરીર સંબંધ બાંધેલ. ભોગબનનારના નિવેદન બાદ આરોપીએ આગોતરા જામીન અરજી કરી હતી.
જેમાં સરકાર પક્ષે સરકારી વકીલ બિનલબેન રવેશીયાએ વાંધા રજૂ કરી દલીલો કરી હતી. ઉપરાંત ફરિયાદ પક્ષે આરોપીને બીજી સ્ત્રી સાથે સંબંધ હોવાના ફોટોગ્રાફ રજૂ કરેલા. દલીલો - પુરાવા ધ્યાને લઈ ન્યાયાધીશ એચ. એચ. વર્માએ આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં સરકાર પક્ષે મદદનીશ સરકારી વકીલ બિનલબેન રવેશીયા રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy