રાજકોટ, તા.26
રૂ.1.58 કરોડ વ્યાજે આપ્યા બાદ મરવા મજબુર કર્યાંના ગુનામાં હાડગરડા બંધુના આગોતરા જામીન મંજુર થયા છે. વિંછીયાના કોટડા ગામના પ્રૌઢ અશોકભાઈ ગોહિલે આપઘાત કર્યો હતો. જેના બે આરોપીઓએ હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી.
કેસની વિગત મુજબ, વિંછીયા પોલીસ મથકે ફરીયાદી હિતેશભાઈ અશોકભાઈ ગોહિલે આઈ.પી.સી. કલમ 306, 506, 114 તથા મનીલેન્ડ એકટની કલમ 5, 40, 42 મુજબની ફરીયાદ નોંધાવી હતી. તેણે જણાવેલ કે, પોતાના ધંધાના કામ અર્થે નાણાની જરૂરીયાત ઉભી થતા જુદી-જુદી વ્યકિતઓ પાસેથી ઉંચા વ્યાજના દરે નાણા લીધેલ હતા .
જેમાં દેવાભાઈ ખાંભલા, માત્રાભાઈ હાડગરડા, ગોરાભાઈ હાડગરડા, ધનજીભાઈ, સુરાભાઈ વકાતર, રણછોડભાઈ રબારી, ગુણુભાઈ તેમ આ બધા જ આરોપીઓ પાસે કુલ રૂ.1 કરોડ 58 લાખ વ્યાજેથી લીધેલ. બાદમાં આરોપીઓ મુડી તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા ફરીયાદી ગામ મુકીને જતા રહેલ. આરોપીઓએ ફરીયાદીના પિતા પાસે આ રકમની પઠાણી ઉઘરાણી ચાલુ કરેલ. હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપેલ. કંટાળી ફરીયાદીના માતા-પિતાએ ઝેરી દવા પી લીધેલ. સારવાર દરમિયાન પિતા અશોકભાઈનું મોત થયેલ.
તેના ખિસ્સામાંથી મળેલ સ્યુસાઇડ નોટ મળી હતી. આરોપીઓ પૈકી ગોરાભાઈ અરજણભાઈ હાડગરડા અને માત્રાભાઈ અરજણભાઈ હાડગરડાએ સંભવિત ધરપકડથી બચવા માટે રાજકોટ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ જે નામંજુર થતા બંનેએ પોતાના એડવોકેટ મારફત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી ગુજારેલ. આરોપીઓના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઈ આરોપી માત્રાભાઈ અને ગોરાભાઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આગોતરા જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ હતો. આ કેસમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, તથા નામ. હાઈકોર્ટમાં મેહુલ એસ. પાડલીયા રોકાયેલા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy