જામનગર તા.7
જામનગર જિલ્લામાંથી જે નાગરિકો અમરનાથજીની પવિત્ર યાત્રામાં સામેલ બન્યા હોય, તો તેમનું હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી જણાય છે. તેથી આ તબીબી તપાસ કરાવવા માટે ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ, જામનગર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
જે અનુસાર તમામ યાત્રીઓએ તબીબી તપાસ માટે હોસ્પિટલમાં ન્યુ કેસ તરીકે કેસ કાર્ડ કઢાવવાનું રહેશે. તેમજ યાત્રીઓએ પોતાનું ફોર્મ સાથે લાવવાનું રહેશે. આ ફોર્મમાં જરૂરી વિગતો ભર્યા બાદ યાત્રીએ તેમનો પાસપોર્ટ સાઈઝનો કલર ફોટોગ્રાફ અને આધારકાર્ડની ઝેરોક્ઝ નકલ સાથે રાખવાની રહેશે. ફોર્મ ફીલ અપ કર્યા બાદ હોસ્પિટલના રૂમ નંબર 3 માં ડોક્ટરશ્રીની જરૂરી સુચના મુજબ યાત્રીની તબીબી તપાસ કરવામાં આવશે.
તબીબી તપાસ માટેનો સમય જાહેર રજા અને રવિવાર સિવાય દરરોજ સવારે 09:00 થી 11:00 કલાક દરમિયાન અને સાંજના 04:00 થી 05:00 કલાક સુધી રહેશે. તેમ તબીબી અધિક્ષકશ્રી, ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy