રાજકોટ, તા.23
એસટી બસ રિવર્સ લેતી વખતે સર્જાયેલ અકસ્માતમાં ખાંડાધારના અશોક સોમૈયાએ સારવારમાં દમ તોડી દિધો હતો. બનાવ અંગે મૃતકના પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગત મુજબ અશોકભાઈ દેવાભાઈ સોમૈયા (ઉ.વ.48 રહે- ખાંડાધર ગામ તા. ગોંડલ) નામનો યુવક તા.8/4/2024 ના રોજ સવારે પોતાનુ મોટરસાઈકલ લઈને તેની પુત્રીને ભોજપરા મુકવા જતાં હતાં. ત્યારે ગોંડલ વેરી તળાવ રોડ પાસે એસટી બસ ચાલકે રિવર્સમાં એસટી બસ લેતી વખતે મોટરસાઈકલ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવકને ઈજાઓ પહોંચી હતી.
બાદ યુવકને સારવાર અર્થે ગોંડલ સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ સારવારમાં યુવકે દમ તોડી દિધો હતો. તેઓ બે ભાઈ અને બે બહેનમાં મોટાં હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસને જાણ કરી હતી.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy