ગાંધીનગર,તા.7
અત્રે મતદાન કરીને બહાર આવ્યા બાદ કોંગ્રેસને નેતા શકિતસિંહ ગોહિલ ભાજપ અને ચૂંટણી કમિશન પર વિફર્યા હતા અને ગંભીર આરોપ લગાવ્યા હતા કે ભાજપના પોલિંગ એજન્ટો કમળના ચિહ્ન વાળી પેન લઈને મતદાન મથકની અંદર બેઠા છે સાથે એવો ચોંકાવનારો આક્ષેપ લગાવ્યો હતો કે વાસણ ગામે કોંગ્રેસ તરફી મતદાન થતું હોવાના કારણે મતદાન અટકાવવામાં આવ્યું હતું.
ગુજરાતની 25 લોકસભા સીટો પર હાલમાં મતદાન ચાલી રહ્યું છે. જોકે મતદાન વચ્ચે કોંગ્રેસ નેતાએ ચૂંટણી કમિશન અને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગાંધીનગરમાં સેક્ટર-19માં મતદાન કરીને બહાર આવ્યા બાદ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો કે ભાજપના પોલિંગ એજન્ટ કમળના ચિહ્નવાળી પેન લઈને મતદાન મથકની અંદર બેઠા છે.
શક્તિસિંહ ગોહિલ દ્વારા મતદાન મથક પર ભાજપના પોલિંગ એજન્ટ પર આરોપ લગાવવામાં આવ્યો છે. હકીકતમાં તેઓ સેક્ટર-19ના મતદાન મથક પર વોટ આપવા પહોંચ્યા ત્યારે ભાજપના પોલિંગ એજન્ટ કમળના ચિહ્ન સાથેની પેન લઈને અંદર બેઠેલા હતા. જે બાદ તેમણે કહ્યું કે, ગુજરાતના તમામ મતદાન મથક પર ભાજપના એજન્ટો કમળની નિશાન વાળી પેન લઈને બેઠા છે. શું આખા ગુજરાતમાં ચૂંટણી કમિશન મૂક પ્રેક્ષક બન્યું છે? ચૂંટણી કમિશનને મારી રજૂઆત છે કે તેમને પકડીને કાઢી મૂકો, તેમના પર કેસ કરો. આ અટકાવવું જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે, ’સતાધારી પક્ષ ધન અને બળના જોરે મતદાન કરાવી રહ્યું છે. જામનગરમાં અમારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કઈઇ દ્વારા પોલીસ સ્ટેશન બેસાડી દેવામાં આવ્યા છે. ગાંધીનગરના વાસણ ગામ ખાતે કોંગ્રેસ તરફી મતદાન થતું હોવાના કારણે મતદાન અટકાવવામાં આવ્યું છે.’ ચૂંટણી કમિશનનું કામ યોગ્ય રીતે ન થઈ રહ્યો હોવાનો શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy