રાજકોટ,તા.23
દિવસોના દિવસોથી દેશ-વિદેશના લાખો ભાવિકોતેમજ રાજકીય મહાનુભાવો અહોભાવથી સાકર અર્પણ કરીને જેમના પારણાની પાવન પળની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે એવા અખંડ 1008 આયંબિલ તપની ઉગ્ર આરાધના પરિપૂર્ણ કરી રહેલાં મહાતપસ્વી સાઘ્વીરત્ના, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પરમ સૌમ્યાજી મહાસતીજીના પારણા અવસર- મહાતપોત્સવતેમજ મુમુક્ષુ શ્રી યશ્વીદીદી મહેન્દ્રભાઈ નંદુના દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ આવતીકાલ 24/04/2024 બુધવારથી માલિની કિશોર સંઘવી હોલ, રીતંભરા કોલેજ ગ્રાઉંડ, એન .એ. આહુજા માર્ગ ,જે.વી .પી.ડી. સ્કીમ, વિલેપાર્લે (વેસ્ટ)ખાતે થઈ રહ્યું છે.
અખંડ 1008 દિવસ સુધી કોઈ પણ પ્રકારના ફળફળાદી, શાકભાજી,મેવા- મીઠાઈ,ઘી, તેલ,દૂધ- દહીં કે મસાલા વિનાના માત્ર બાફેલાં અનાજ અને કઠોળના લૂખા સૂકા આહાર સાથેની આયંબિલ તપની ઉગ્ર આરાધના મહાતપસ્વી મહાસતીજી જ્યારે નિર્વિઘ્ન પરિપૂર્ણતા તરફ શીઘ્ર આગળ વધી રહ્યા છે ત્યારે તેમનો ’મહાતપોત્સવ’તેમજ મુમુક્ષુ આત્માના’દીક્ષા મહોત્સવના’ પાંચ દિવસના આયોજનમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને તેમજ લાઈવના માધ્યમે જોડાવવા સમગ્ર મુંબઈ, ગુજરાત, મહારાષ્ટ્ર, પૂર્વ ભારત, દક્ષિણ ભારત, ઉત્તર ભારતના ભાવિકોની સાથે અમેરિકા, લંડન, ઓસ્ટ્રેલિયા, જર્મની, સિંગાપોર, દુબઈ, મલેશિયા, અબુધાબી આદિ 176થી વધુ વિદેશના ક્ષેત્રોના મળીને લાખો ભાવિકો આતુર બની રહ્યાં છે.
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આવતીકાલે સવારે 8:30 કલાકે વિલેપાર્લેના સ્થાનકવાસી જૈન ઉપાશ્રયે પધારશે અને 9:30 કલાકે મહોત્સવનો મંગલ પ્રારંભ થશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy