. (મિલાપ રૂપારેલ)
અમરેલી, તા.25
અમરેલી લોકસભા વિસ્તારની ચૂંટણીને હવે ગણતરીનાં 12 દિવસો જ બાકી રહૃાા હોવા છતાં રાજકીય નેતાઓના વાણી વિલાસ વચ્ચે કયાંય ચૂંટણીને લઈને ઉત્સાહ જોવા મળતો નથી. મતદારોને કોઈ પક્ષ કે કોઈ ઉમેદવારમાં રસ હોય તેવું જોવા મળતું નથી. અમુક જાગૃત્ત નાગરિકો એમ પણ કહે છે કે ગમે તે પક્ષનાં ગમે તે વ્યકિત સાંસદ બને તો તે અમરેલીનો વિકાસ કરતાં પોતાનો વિકાસ કરવામાં જ રચ્યા પચ્યા રહેશે તેટલી હદે મતદારોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહૃાો છે.
અમરેલી લોકસભા વિસ્તારનાં 17 લાખ જેટલા મતદારોએ દરેક પક્ષનાં જુદા-જુદા ઉમેદવારને સાંસદ બનાવીને દેશની સૌથી મોટી પંચાયત ગણાતી પાર્લામેન્ટમાં મોકલ્યા બદલામાં અમરેલીને વિકાસનાં કોઈ ફળ ચાખવા મળ્યા નથી. અમરેલી શહેર એ જિલ્લાનું મુખ્ય મથક છે જયાં બ્રોડગેજ રેલ્વે નથી, કેન્દ્રીયવિદ્યાલય નથી, ફરવાલાયક સ્થળો નથી, હજારો યુવાનોને રોજગાર આપી શકે તેવા ઉદ્યોગો નથી, નિયમિત પાણી મળતું નથી, શહેરમાં રખડતા પશુઓની સમસ્યાનું નિરાકરણ થતું નથી, ગંદકીનો માહોલ જોવા મળે છે, સરકારી શાળાઓ અને દવાખાનાની દયનીય હાલત છે, સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ખદબદે છે, સારી બસ સેવા નથી, અનેક સમસ્યાઓથી ચિંતિ બનીને અનેક યુવાનો અને પરિવારો અન્ય શહેર તરફ સ્થળાંતર કરી રહૃાા છે અને મતદારોમાં રાજકીય નેતાઓના વાણી વિલાસ વચ્ચે હવે તમામ રાજકીય આગેવાનો પાસેથી હવે કોઈ અપેક્ષા ન હોવાથી ચૂંટણીને લઈને ઉત્સાહની કમી જોવા મળે છે.
જો કે લોકશાહી શાસન વ્યવસ્થામાં મતદાનની ટકાવારી 75 થી 80 ટકા થવી જોઈએ અને રાજકીય નેતાઓના વાણી વિલાસથી મતદારોએ નિરાશ થવાને બદલે જે કોઈ ઉમેદવાર હોય તેની તમામ વિગતો જાણીને ગમે તે એકની પસંદગી કરવી જોઈએ. કારણ કે મતદાન ન કરવાથી સમસ્યાનું નિરાકરણ થવાનું નથી વિકાસ માટે મતદાન કરવું અત્યંત જરૂર છે. કારણ કે નિરાશાનો માહોલ યોગ્ય નથી આશાથી જીવન છે અને મતદારોએ નિરાશા ખંખેરીને અચુક મતદાન કરવું જોઈએ. જિલ્લાનું વહીવટીતંત્ર પણ મતદાન જાગૃત્તિ અર્થે સારી એવી કસરત કરી રહૃાું હોય મતદારોએ ઉત્સાહભેર મતદાન કરવું અત્યંત જરૂરી છે
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy