રાજકોટ :
‘સાંજ સમાચાર’ની મુલાકાતે આવેલ મારવાડી યુનિવર્સિટીના ધ્રુવ સંદીપભાઈ મારવાડી તથા ડો.નરેશ જાડેજા, અમિત સાતાએ આઇપી વિશે માહિતી આપતા જણાવ્યું કે આ વખતે એક આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી નવી આઈપી ડેવલપ કરવામાં આવી છે.
ભારતની વિરાસત સમા 5000 વર્ષો પ્રાચીન મેડિસન આયુર્વેદનું નિદાન હાથની નસ પકડી અથવા ચેહરા પર જોઈને થતો હોય છે. હવે મારવાડી વિદ્યાર્થીએ નવી ટેકનોલોજી ડેવલપ કરી છે જેનાથી હવે તમે ફકત મોબાઇલ અથવા વેબસાઇટ પર તમારો ફોટો અપલોડ કરશો તો તેનાથી ખબર પડી જશે કે તમને શું તકલીફ છે.
15000 જેટલા વિદ્યાર્થીઓ પર આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 98 ટકા જેટલું સચોટ પરિણામ આવ્યું છે. હાલ પાંચ જેટલા રોગ વિશે માહિતી મળે છે જેમ કે કબજિયાત, બ્લડ સર્ક્યુલેશન, ઓબેસિટી, ડાયાબિટીસ, વગેરે જેવા રોગો વિશે માત્ર ફોટો અપલોડ કરવાથી જ ખબર પડશે. ઉલ્લેખનીય છે કે સીરિયાના એક વિદ્યાર્થીએ જે મારવાડી યુનિ.માં અભ્યાસ કરે છે તેને વિરમગામની એક આયુર્વેદ ફાર્મસી કંપની સાથે મળીને આ ટેકનોલોજી ડેવલપ કરી છે. આગળ જતાં આરોગ્ય ક્ષેત્રે નિદાન કરવા માટે એક સીમાચિહ્ન રૂપ સફળ ઇનોવેશન સાબિત થઈ શકે છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy