જિનશાસન પ્રભાવક આચાર્ય ભગવંત પૂ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. મુનિશ્રી મતિપૂર્ણ વિજયજી મ. આદિ ઠાણા રાજકોટના વિવિધ મૂર્તિપૂજક જૈન સંઘોમાં પધરામણી કરીને ધર્મ પ્રભાવના કરી રહ્યા છે. પૂજયશ્રીનું આગામી તા.7મીના અષાઢી બીજના દિવસે કાલાવડ રોડ જૈન સંઘમાં ભવ્યાતિત ચાતુર્માસ પ્રવેશ સામૈયુ યોજવામાં આવેલ છે.
પૂજયશ્રીએ ગઇકાલે જીરાવાલા પાર્શ્વનાથ દેરાસરની પ્રથમ સાલગીરી પ્રસંગે યોજાયેલા ધજારોહણ કાર્યક્રમમાં નિશ્રા આપી હતી.
આ.ભ.પૂ. શ્રી જયશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણા આજે બુધવારે શ્રી વિમલનાથ દેરાસર (વોકહાર્ટ હોસ્પિટલ સામે) પધારતા સંઘ દ્વારા ભવ્ય સામૈયુ યોજવામાં આવેલ. આ પ્રસંગે 500થી વધારે ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને રૂા. 160ની પ્રભાવના કરવામાં આવી હતી, નવકારશી યોજાઇ હતી.
વિગતો અનુસાર પૂજય ગુરૂદેવશ્રીનું સૌમયુ સવારના 7.15 કલાકે સિલ્વર કલાસીક એપાર્ટમેન્ટ, અમીન માર્ગ કોર્નરથી શરૂ થઇને વાજતે ગાજતે વિમલનાથ જિનાલયે પહોંચ્યુ હતું. ગુરૂદેવે વિમલનાથ દેરાસરના દર્શન-વંદન કર્યા હતા. આજે સંયોગથી બુધવારનો શ્રી વિમલનાથ ભગવાનની ભકિતનો દિવસ રહ્યો. પૂજયશ્રી મીનાક્ષી બિલ્ડીંગમાં પધાર્યા પછી માંગલિક પ્રવચન ફરમાવ્યું હતું.
આ પ્રસંગે નવકારશીનો લાભ વસંતબેન હસમુખલાલ શિવલાલ શાહ પરિવારે લીધો હતો તથા પ્રભાવનાનો લાભ ભાવનાબેન પ્રફુલભાઇ શેઠ પરિવાર, સપાણી પરિવાર વાંકાનેરવાળા તથા સિલ્વર કલાસીક પરિવારે લીધો હતો. જયારે જિનાલયના ડેકોરેશનનો લાભ ભાવનાબેન પ્રફુલભાઇ શેઠ પરિવારે લીધો હતો.
આજે રાત્રે 8.30 કલાકે આંગી, સમુહ આરતી, પ્રભાવનાનો લાભ, ભાવેશભાઇ જયવંતભાઇ મહેતા પરિવારે લીધો હતો.આ પ્રસંગે રાજકોટના જૈન સંઘોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિમલનાથ જિનાલયના ક્ધવીનર વિપુલભાઇ દોશીના માર્ગદર્શન હેઠળ ખુબ જ સફળ આયોજન કરવામાં આવેલ.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy