ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં લોકસભાની બેઠક પર ભાજપ- કોંગ્રેસના ઉમેદવારોએ વાજતે-ગાજતે ઉમેદવારી ફોર્મ ભર્યા

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 16 April, 2024 | 04:35 PM
ઉમેદવારોએ કાર્યકરોના શકિત પ્રદર્શન સાથે દેવ મંદિરો-ધાર્મિક સ્થળોએ દર્શન કરી સભા સંબોધી: રાજકિય ગરમાવો જામ્યો
સાંજ સમાચાર

રાજકોટ તા.16
 કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત રાજયામાં 26 લોકસભાની બેઠકો માટેની ચૂંટણી જાહેર કરી તા.12થી તા.19મી સુધી ઉમેદવારી ફોર્મ સ્વીકારવાનું જાહેરનામુ પ્રસિધ્ધ કરતા રાજયભરમાં ભાજપ-કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારોએ વાજતે-ગાજતે રેલી યોજી જંગી જાહેરસભા સંબોધી પોતાનું ઉમેદવારી પત્રો રજૂ કરી દીધા છે. આજે બપોરના ત્રણ કલાક સુધીમાં ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી હતી.

 રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ભાજપના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલાએ ઉમેદવારી ફોર્મ ભયુર્ં હતું. અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરે ટ્રેકટર ચલાવી ઉમેદવારી ફોર્મ ભયું હતું.

 જુનાગઢ લોકસભા સીટના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ ચોરવાડ ખાતે તેમના કુળદેવી અને પરિવારજનોનાં આશીર્વાદ લઈ સરદાર ચોકમાં સભા સંબોધી હજારો સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ રજુ કયુર્ં હતું. ખેડા બેઠકના ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણે વિજય મુહુર્તમાં રેલી યોજી ડભાણ રોડ પર કલેકટર કચેરીએ ઉમેદવારી નોંધાવી હતી.

 કચ્છ બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ રજુ કયુર્ં હતું. જયારે કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે ઉમેદવારી ફોર્મ રજૂ કયુર્ં હતું.

 બનાસકાંઠા ભાજપના ઉમેદવાર રેખાબેને ઉમેદવારીપત્ર રજૂ કયુર્ં હતું.  પાટણ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર ભરતભાઈ ડાભીએ જંગી જાહેર સભા યોજી ઉમેદવારી ફોર્મ ભયુર્ં હતું. દાહોદ લોકસભા બેઠકના ભાજપનાં ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે માતા પિતાના આશીષ મેળવી વિજય મુહુર્તમાં ફોર્મ ભયું હતું.

 નવસારી જિલ્લાના વાસંદા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલને કોંગ્રેસ પક્ષે વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરતા અનંત પટેલે જંગી જાહેરસભાને સંબોધી ઉમેદવારી ફોર્મ રજૂ કયુર્ં હતું. છોટા ઉદેપુર ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવાએ ઉમેદવારી નોંધાવી હતી.

મહેસાણા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર હરીભાઈ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.ગાંધીનગર કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલે ઉમેદવારી નોંધાવી હતી. આગામી તા.19મી સુધીમાં હજુ ભાજપ કોંગ્રેસ સહિતના રાષ્ટ્રીય પક્ષો અને અપક્ષો ઉમેદવારી પત્રક્ષો રજૂ કરશે.

 

તળાજા યુવા મોરચાના ઉપાધ્યક્ષે રાજીનામુ આપ્યું
 રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે તળાજા તાલુકાના ભાજપના યુવા મોરચાના ઉપાધ્યક્ષ રવિરાજસિંહ મોહિલે ચાલુ સભામાં કાળા કપડા પહેરીને 200 કાર્યકર્તાઓ સાથે રાજીનામું આપ્યું હતું.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj