લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં સમાવાયેલ ગુજરાતની તમામ 30 બેઠકો માટે નામાંકન પ્રક્રિયામાં ત્રીજા દિવસથી ઝડપ આવી

સૌરાષ્ટ્રની ત્રણ સહિત ગુજરાતની આઠ બેઠકો પર ભાજપ-કોંગ્રેસની વાજતેગાજતે ઉમેદવારી

Gujarat, Saurashtra, Politics, Lok Sabha Election 2024 | Rajkot | 15 April, 2024 | 05:40 PM
સાંજ સમાચાર

► સુરેન્દ્રનગરમાં ભાજપના ચંદુભાઈ શિહોરા તથા કોંગ્રેસના ઋત્વીક મકવાણાએ નામાંકન ભર્યું: જામનગરમાં જે.પી.મારવીયાએ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવ
લોકસભાની સાથોસાથ વિધાનસભાની જે પેટાચુંટણીઓ યોજાઈ રહી છે તેમાં પોરબંદરમાંથી અર્જુન મોઢવાડીયા અને વાઘોડીયામાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે. પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પ્રદેશથી આવેલા નિરીક્ષકોની હાજરીમાં ઉમેદવારીપત્રક રજુ કર્યુ છે. આ પુર્વે એક જંગી રેલી પણ યોજાઈ હતી. જયારે સુરેન્દ્રનગરમાં ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિહોરા તથા કોંગ્રેસના ઋત્વીક મકવાણા એ પણ ઉમેદવારી નોંધાવી છે. 

આ ઉપરાંત પંચમહાલમાં ભાજપના ઉમેદવાર રાજદીપસિંહ જાદવ, વલસાડમાં ડો. ધવલ પટેલ એ પણ ઉમેદવારી નોંધાવી હતી જયારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા, જે.પી.મારવીયાએ જામનગર અને બારડોલીમાંથી ડો. સિદ્ધાર્થ ચૌધરીએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા.

► પોરબંદરમાંથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા ઉપરાંત ધારાસભા પેટાચુંટણી માટે અર્જુનભાઈ મોઢવાડીયાની ઉમેદવારી: ભવ્ય રેલી યોજાઈ
લોકસભા ચૂંટણીના ત્રીજા તબકકામાં 12 રાજયોની 94 બેઠકો પર ગત શુક્રવારથી શરુ થયેલા નામાંકનમાં આજે સૌરાષ્ટ્રમાં પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર સહિત ગુજરાતની 8 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ભવ્ય રેલી સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જયારે હવે તા.19 સુધી ઉમેદવારીની પ્રક્રિયા ચાલશે. બીજી તરફ આવતીકાલે રાજકોટમાં ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા પોતાનું ઉમેદવારીપત્રક રજુ કરશે તે પુર્વે ગઈકાલે જે રીતે વિશાળ ક્ષત્રિય સંમેલન યોજાયું અને રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી સાથે આ સમુદાયે જે એકતા દર્શાવી તેના પડઘા ફકત રાજકોટ નહી ગાંધીનગર અને દિલ્હી સુધી પડયા છે અને તે વચ્ચે આવતીકાલે પરસોતમ રૂપાલાની ઉમેદવારી સમયે પણ ભાજપ શક્તિ પ્રદર્શન કરશે તેવા સંકેત છે. 

► સી.આર.પાટીલ પોરબંદરમાં હાજર ન રહ્યા
લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર તેમના જાહેર થયેલા ઉમેદવારોના નામાંકન અંગે શેડયુલ સાથે આ સમયે પ્રદેશમાંથી કયા અગ્રણીઓ હાજર રહેશે તેની પણ યાદી બહાર પાડી હતી જેમાં આજે પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના નામાંકન સમયે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહેશે તેની સતાવાર જાહેરાત થઈ હતી પરંતુ પાટીલ પોરબંદર ન પહોંચતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે જે રીતે રાજકોટ બેઠક પર વિવાદ વધ્યો છે તે પછી ગાંધીનગરમાં પણ જબરી ચહલ પહલ છે અને પાટીલના સ્થાને અમરેલી ભાજપના અગ્રણી દિલીપ સંઘાણી ઉપરાંત રાજયના પુર્વ મંત્રી આર.સી.ફળદુ હાજર રહ્યા હતા.

 

 

Related News
Sports News
Loading...
Facebook Twitter LinkedIn Pinterest
Get In Touch

Rajkot - Head Office, Sanj Samachar Corporate House, 2nd Floor, Kasturba Road, Near Sharda Baug
Rajkot-360001

0281-2473911-12-13

[email protected]

Privacy-policy
Keep In Touch

Subscribe to Our Newsletter to get Important News & Offers

Download App from

Download android app - Sanj Download ios app - Sanj