(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.9
મોરબીમાં ભુવા હસુભાઈ પનારા તથા સમસ્ત પનારા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું છે આજે ગુરુવારના રોજ રાત્રે 9 વાગ્યે મોરબીના ભવાની ચોક લખધીરવાસ બક્ષી શેરીના નાકે બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ તકે ભુવા હસુભાઈ પનારા તથા ડાક કલાકાર ધર્મેશ રાવલ માતાજીના ગુણગાન ગાશે. જેથી કરીને ભક્તોને તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે.
નવચંડી મહાયજ્ઞ
મોરબી તાલુકાના બંધુનગર ગામે તા 14 મે ના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેની સાથે નવચંડી મહાયજ્ઞ પણ રાખવામા આવેલ છે અને તે દિવસે સવારે 7:00 વાગ્યે નવચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવશે જેના આચાર્ય પદે મહામહોપાધ્યાય જિજ્ઞેશભાઈ પંડ્યા બિરાજશે. અને બપોરે 1 વાગ્યે બીડું હોમાશે અને ત્યાર બાદ મહાપ્રસાદ રાખવામા આવેલ છે અને તા 13 ના રોજ રાત્રે 9:00 વાગ્યે રાસ ગરબાનું આયોજન કરાયું છે.
લોક ડાયરો
વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે આવેલ હોલ માતા મંદિરે 17 મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવ અને આજ રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર દેવાયતભાઈ ખવડ (લોકસાહિત્યકાર), કાનો હુંબલ (લોકસાહિત્યકાર) ભૂમિબેન આહીર (લોકગાયક કલાકાર), વિજયભાઈ આહીર (ભજનીક) અને વિજુબેન આહીર (લોકગાયક) સહિતના જમાવટ કરશે જેથી લોક ડાયરાનો લાભ લેવા માટે અને ધાર્મિક પ્રસંગનો આયોજકોએ લોકોને આમંત્રણ આપેલ છે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy