રાજકોટ, તા.19
બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આગામી તા. 23 ને મંગળવારે હનુમાન જયંતિ નિમિત્તે સવારે 10:00 થી 12:30 સુધી પંચનાથ ધૂન મંડળના સાથ સહકારથી અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં શ્રી હનુમાન ચાલીસાના પાઠ તથા ધૂન ભજન, આખ્યાનની રમઝટ તેમજ પ્રખર ભાગવતાચાર્ય પુ. અશોકભાઈ ભટ્ટ દ્વારા આગવી શૈલીમાં શ્રી હનુમાનજી મહારાજની શક્તિ, ભક્તિ, સેવા અને સમર્પણના મહિમાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. તેમજ કાર્યક્રમની પુર્ણાહુતીએ બટુકો, બ્રાહ્મણો, મહેમાનો, દાતાઓ, તબીબો તથા હનુમાન ભક્તોને મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે. બજરંગ ટ્રસ્ટની વિવિધ સેવાની જ્યોતને 39 વર્ષ પૂર્ણ થતા તા. 23 ને મંગળવારે તમામ સેવાર્થીઓનું ઋણ સ્વીકાર સન્માન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે. તદ્પરાંત હઠીલા તેમજ અસાધ્ય દર્દો માટે રાજકોટના જાણીતા આયુર્વેદાચાર્ય ડો. કેતનભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદિક સેવા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
‘સાંજ સમાચાર’ની મુલાકાતે બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટના રોહિતભાઈ કારીયા, ધૈર્ય રાજદેવ, ગોરધનભાઈ લાલસેતા, કિશોરભાઇ પારેખ, રાજુભાઈ બુદ્ધદેવ, દિનકરભાઈ રાજદેવ, જીત કારીયા અને મૌલિક બુદ્ધદેવ આવ્યા હતા.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy