રાજકોટ,તા.19
જૈનોના ચોવીસમાં તીર્થંકર પ્રભુ મહાવીરના જન્મ કલ્યાણકનો અવસર આગામી 21મી એપ્રિલ,2024ના દિવસે આવી રહ્યો છે ત્યારે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી લુક એન લર્ન જૈન જ્ઞાન ધામના ઉપક્રમે ’બાલ મહાવીર ઉત્સવ’નું અનોખું આયોજન ઘાટકોપર સ્થિત ગુરુકુળ સ્કુલના પ્રાંગણે સાંજે 07:00કલાકે કરવામાં આવ્યું છે.
’બાલ ગુણ મેલા’ અંતર્ગત સમગ્ર મુંબઈની 100થી વધુ જૈનશાળાના તેમજ લુક એન લર્નના 10 થી 15 વર્ષના સેંકડો બાળકો જેમાં ભાગ લેવા માટે ઉત્સુક છે તેવા આ વિશિષ્ટ આયોજન અંતર્ગત બાળવયથી જ બાળકોના હૃદયમાં પ્રભુ મહાવીરના ગુણો પ્રત્યે ભાવ અને અહોભાવ જાગૃત કરવાના હેતુ સાથે ટેલેન્ટ કોમ્પીટીશન યોજાશે.
"મૈં બનું પ્રભુ મહાવીર જેસા"ની થીમ પર 10થી 15 વર્ષની ઉંમરના બાળકો સિંગિંગ, ડાન્સિંગ, ડ્રોઈંગ, પેઈન્ટિંગ, સ્પીચ,ડ્રામા, સ્ટોરીટેલીંગ, સંગીત, ઍક્ટિંગ આદિ કલાઓના માધ્યમે પ્રભુ મહાવીર પ્રત્યેના ભક્તિભાવની પ્રસ્તુતિ કરશે.આ કોમ્પીટીશનમાં બધા પર્ફોમન્સના ઓડિયન્સ પોલિંગ બાદ અંતિમ નિર્ણાયકરૂપે
રમેશભાઈ મોરબીયા, સી.વી.શાહ, ખીમજીભાઈ છાડવા ઉપસ્થિત હશે. માત્ર ત્રણ મિનિટની વીડિયોના માધ્યમે બેસ્ટ પર્ફોમન્સ આપનાર બાળકોમાંથી શ્રેષ્ઠ પર્ફોમન્સ આપનાર પ્રથમ વિજેતા બાળકને રૂ।,00,000, દ્વિતીય વિજેતા બાળકને રૂ।5,000 અને તૃતીય વિજેતા બાળકને રૂ।0,000 આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે. વિજેતા બાળકોને 21તિં એપ્રિલ,2024ના દિવસે ગુરુકુળ સ્કુલખાતે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવના સાંનિધ્યે પર્ફોમન્સ આપવાની અમૂલ્ય તક પણ મળશે. ત્યારબાદ પ્રભુ મહાવીરના જન્મોત્સવલક્ષી મધુર ગીત-સંગીત સાથેનો ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ યોજાશે.સમગ્ર કાર્યક્રમ ગુરુકુળ સ્કૂલ ગ્રાઉન્ડ, તિલક રોડ, દેરાસર લેન, ઘાટકોપર ઈસ્ટ ખાતે યોજાશે.
Rajkot - Head Office,
Sanj Samachar Corporate House,
2nd Floor, Kasturba Road,
Near Sharda Baug
Rajkot-360001
0281-2473911-12-13
Privacy-policy